Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જમ્મુમાં વાહન અકસ્માતમાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ

ગત મંગળવારે સાંજે પૂંછ જીલ્લામાં મેંઢર વિસ્તારમાં ભારતીય સેનાનું એક વાહન અકસ્માતે ખાઈમાં પડી જતાં સેનાના ૫ જવાનો શહીદ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સેનાનું વાહન નીલમ હેડકવાર્ટર થી ઘોડા પોસ્ટ તરફ જઈ રહ્યું હતું ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા વાહન ૩૫૦ ઊંડી ખીણમાં પડ્યું હતું અને તેમાં બેઠેલા જવાનોમાંથી ૫ જવાનો વીરગતિને પામ્યા હતા. પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતક જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ આ કરુણ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકોને રૂપિયા ૧૫,૦૦૦ પ્રમાણે તત્કાલ સહાયતા રાશી પણ આર્પણ કરી છે જે શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટ દ્વારા આર્મી વેલ્ફેર ફંડમાં પ્રેષિત કરવામાં આવશે.

બીજી એક ઘટનામાં સાવરકુંડલા નજીકના સેંજળ ગામે એક યુવક પાણીમાં ડૂબી જતા મૃત્યુ પામ્યો હતો. આ યુવકના પરિવારજનોને પણ મોરારિબાપુએ રૂપિયા ૧૫,૦૦૦ ની સહાયતા રાશી અર્પણ કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

રામકથા ત્રિભુવનીય કોષ છે,આમાં બધું જ છે.

viratgujarat

JSW MG મોટર ઈન્ડિયા સુરતમાં એક જ દિવસે 101 MG વિન્ડસર ડિલિવરી કરે છે

viratgujarat

હયાતએ મુંબઇ ઇન્ડિયન્સ ક્રિકેટ ટીમ સાથે સહયોગ કર્યો

viratgujarat

Leave a Comment