Virat Gujarat
ગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મહુવા, અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના એક યુવક ધર્મેશભાઈ નું દાતરડી નજીક અકસ્માતમાં મોત થયું હતું. પૂજ્ય મોરારીબાપુએ મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને તેના પરિવારજનોને રૂપિયા 15,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કચ્છના અંજાર ખાતે પાણીમાં બાળકો ડૂબી જતા ચાર બાળકોના મૃતદેહો મળ્યા છે અને એકની શોધ ચાલે છે. આ બાળકોના પરિવારજનોને 75,000 ની સહાયતા પાઠવી છે. એ સિવાય વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. તેના પરિવારને પણ 15,000 ની સહાયતા અર્પણ કરી છે. રાણીગામ જેસરના એક યુવાન પત્રકાર વિક્રમભાઈનું અકાળે અવસાન થતાં તેના પરિવારજનોને 15,000 ની સહાયતા આપેલ છે.પૂજ્ય બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. આ વિતીય સેવા સોનગઢ રામકથાના મનોરથી શ્રી જગુભાઈ દ્વારા કરવામાં આવશે.

Related posts

સેમસંગ દ્વારા ભારતમાં કોર્પોરેટ ઉપભોક્તાઓ માટે એન્ટરપ્રાઈઝ એડિશન ફ્લેગશિપ ગેલેક્સી S24 અલ્ટ્રા અને ગેલેક્સી S24 સ્માર્ટફોન્સ લોન્ચ કરાયા

viratgujarat

એચસીજી હોસ્પિટલ્સ અમદાવાદે બોર્ન ટ્યુમર માટે ગુજરાતનું પ્રથમ નેવિગેશન ગાઇડેડ રેડિયો ફ્રીક્વન્સી એબ્લેશન કર્યું

viratgujarat

રેસ્ટોની સર્જરી પછી ઘૂંટણમાં શ્રેષ્ઠ ગુણવત્તા (હાયલાઇન) કાર્ટિલેજ પુનર્જીવન

viratgujarat

Leave a Comment