તલગાજરડા, ગુજરાત | ૧૦ જુલાઈ ૨૦૨૫ — ગુરુપૂર્ણિમાના પાવન દિવસે, પુજ્ય મોરારી બાપુના વતન તલગાજરડા ખાતે ભાવભીની શ્રદ્ધા, આધ્યાત્મિક ચિંતન અને મહત્ત્વપૂર્ણ સાહિત્યિક તથા ઓડિયો-વિઝ્યુઅલ અર્પણોથી tઐતિહાસિક ઉજવણી થઇ. ૧૦ જુલાઈ ૨૦૨૫નો દિવસ ચિત્રકૂટધામ ખાતે ગુરુના તત્વ અને પરંપરાને અર્પિત અનન્ય સ્મૃતિરૂપે યાદ રહેશે.
ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિજી ઉપર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કરવામાં આવ્યું. તેઓ મોરારી બાપુના દાદા શ્રી ત્રિભુવનદાસ બાપુના નાના ભાઈ અને લોકપ્રિય રીતે “બડે મહારાજ” તરીકે ઓળખાતા હતા. તેઓ ઋષિકેશ સ્થિત કૈલાસ આશ્રમના છઠ્ઠા પીઠાધીશ્વર, કાશી સ્થિત કૈલાસ મઠના મંદલેશ્વર, વારાહ સોરોન મંદિરના અધિપતિ અને નિરંજીની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર પદે વિરાજમાન હતા.
આ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં ભાવનગર જિલ્લામાં બાળપણથી લઈને બરોડા અને કાશીમાં સંસ્કૃત શાસ્ત્રનો અભ્યાસ તથા ઋષિકેશમાં પરમહંસ સંન્યાસ દિક્ષા સહિત તેમના જીવનની પ્રેરણાદાયી યાત્રા દર્શાવવામાં આવી છે. આધ્યાત્મિક જગતમાં તેમને વિદ્યા વાચસ્પતિ જેવા ખિતાબ મળ્યા જે તેમના ગુરુઓ અને ભારત સરકાર બંને દ્વારા આપવામાં આવ્યાં હતા. સંન્યાસી શિરોમણિ તરીકે ઓળખાતા સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિએ ભારતભરના મુખ્ય વેદાંત પરંપરાઓમાં માર્ગદર્શક તરીકે સ્થાન મેળવ્યું છે. ઘણા લોકો તેમના ગુરુ વંશજોને તેમની સાથે જોડે છે.
આ ડોક્યુમેન્ટરીમાં તેમના હસ્તલિખિત ટીપ્પણીઓ, નોંધો અને મૂળ અવાજના રેકોર્ડિંગ્સ પણ રજૂ કરવામાં આવ્યા, જે પુજ્ય મોરારી બાપુએ શ્રદ્ધાપૂર્વક રજૂ કર્યા હતા.
આ શુભ પ્રસંગે બે મહત્વપૂર્ણ પુસ્તકો, સ્વામી વિષ્ણુદેવાનંદ ગિરિની અંગ્રેજી બાયોગ્રાફી “ધ ડિવાઇન સાયલન્સ ઓફ કૈલાસ” અને “સાક્ષાત્કાર”, તેમના જીવન અને આધ્યાત્મિક યાત્રા સાથે સંબંધિત મુલાકાતોનું હિંદીમાં વિશ્લેષણાત્મક સંકલન, નું વિમોચન થયું.
મોરારી બાપુના યજ્ઞકુંડ પાસે આપેલા સંધ્યાકાળીન પ્રવચનોને સંકલિત કરતા નવા પુસ્તકના પ્રથમ ખંડનું પણ વિમોચન થયું. મોરારી બાપુની ૧૨ જ્યોતિર્લિંગ યાત્રા પર આધારિત કૉફી ટેબલ પુસ્તકના લાંબા સમયથી અપેક્ષિત ગુજરાતી અને હિન્દી અનુવાદો પણ આ અવસરે રજૂ કરાયા હતાં.
ચિત્રકૂટધામ તલગાજરડા ખાતે ગુરુપૂર્ણિમા ૨૦૨૫ની આ વિશિષ્ટ ઉજવણી પરંપરા, ભક્તિ અને જ્ઞાનનું જીવંત મેળપણ બની રહી, જે માત્ર ગુરુને નહિ, પણ સમગ્ર વિશ્વમાં હૃદયો પ્રકાશિત કરતી અખંડ આધ્યાત્મિક પરંપરાને પણ શ્રદ્ધાંજલિ હતી.
