Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

સાદગી અને સમાજસેવાની ભાવનાનો સંગમ: જે.સી.જી. સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા ૪૩મો જૈન સમૂહ લગ્નોત્સવ

ગુજરાત, અમદાવાદ | ૧૭મી જાન્યુઆરી ૨૦૨૬ — જૈન કલ્યાણ ગ્રુપ દ્વારા પ્રેરિત અને જે. સી. જી. સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ સમાજસેવા અને સામૂહિક સુખાકારીની ભાવનાને આગળ વધારતા ૪૩મા જૈન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભવ્ય સમારોહ આગામી તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬, રવિવારના રોજ અમદાવાદના મહત્વના કેન્દ્ર એવા GSEC લિમિટેડ, બીજો માળ, ગુજરાત વેપારી મહામંડળ બિલ્ડિંગ, આશ્રમ રોડ ખાતે યોજાશે.

આ સમૂહ લગ્નોત્સવનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહારો આપવાનો તેમજ સમાજમાં સરળ, સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિઓથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે. “આવો–જોડાવો અને નવજીવનના નિર્મળ પથ પર આગળ વધી સમાજ સુધારણાના નિમિત્ત બનીએ” જેવા પ્રેરણાદાયક સંદેશ સાથે આ આયોજન સમાજમાં એકતા અને સહકારની ભાવનાને મજબૂત બનાવશે.

આ લગ્નોત્સવમાં ભાગ લેવા ઇચ્છુક વર-વધૂ માટે ફોર્મ મેળવવા તથા ભરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૨૫ જાન્યુઆરી ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે, જેથી સમયસર નોંધણી કરીને વધુમાં વધુ પરિવારો આ અવસરનો લાભ લઈ શકે.

આયોજકો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ વ્યવસ્થાઓ સરળ, વ્યવસ્થિત અને સન્માનજનક રીતે કરવામાં આવશે.

આ સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે શ્રી રાકેશભાઈ આર. શાહ,  શ્રી રાકેશભાઈ જી. શાહ (૯૪૨૭૪૧૮૬૬૫), શ્રી બૈજુભાઈ પી. શાહ (૯૭૨૪૪૪૪૫૫૦), શ્રી પરેશભાઈ બી. શાહ(૯૯૯૮૬૧૩૮૦૦), શ્રી અનિલભાઈ કે. શાહ (૯૯૭૯૫૦૮૮૦૭) તથા શ્રી દીનેશભાઈ આર. શાહ(૯૮૨૫૦૨૭૨૨૮)નો સંપર્ક કરી શકાશે આયોજક મંડળે સમાજના તમામ વર્ગોને આ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી બનવા અને સમાજસેવાના આ પ્રયાસને સફળ બનાવવા અપીલ કરી છે.

==♦♦♦♦==

Related posts

સ્વિકૃતિ આપણી પ્રકૃતિ બની જાય તો એનું પરિણામ સંસ્કૃતિ જ હોય

viratgujarat

ભારતમાં 10 માંથી 9 કામ કરતી મહિલાઓ કામ પર આત્મવિશ્વાસથી AIનો ઉપયોગ કરે છે, જે પુરુષો કરતાં વધુ છે : LinkedIn

viratgujarat

મેરિયોટની Series વિશ્વમાં સૌપ્રથમ પદાર્પણની ઉજવણી કરે છે, ભારતમાં મહત્ત્વના સ્થળોએ 26 જેટલી ખુલી રહી છે

viratgujarat

Leave a Comment