અમદાવાદ, ગુજરાત | ૧૬ માર્ચ ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર નેપાળમાં બસ દુર્ધટનામાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ પ્રસિદ્ધ મનકામના મંદિરમાં દર્શન કરી બસ પરત કાઠમાંડુ ફરી રહી હતી ત્યારે ડ્રાઇવરે કાબૂ ગુમાવતા બસ ખીણમાં ખાબકતા ૭ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.
સૌરાષ્ટ્રમાં પણ આ દિવસોમાં અકસ્માતો સર્જાયા હતા અને તેમાં પણ ઘણા લોકોના અકાળે અવસાન થયાં છે. મહુવાનો ખલાસી પોરબંદરના દરિયામાં ડૂબી જતાં મ્રુત્યુ પામેલ. નાના ખૂંટવડા ના બે તરુણોના અકસ્માતમાં મોતને ભેટ્યા હતા અને ઉમરાળા તાલુકાના જાળીયા ખાતે ત્રણ યુવાનોની જીંદગી અકસ્માતમાં હોમાઈ ગઈ હતી. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને શ્રધ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.
