Virat Gujarat
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

viratgujarat

શરુ થયો અલૌકિક અને અલભ્ય વૈષ્ણવ એકતા મહોત્સવ

viratgujarat

મુંબઈમાં મોડી રાત્રે તોફાન સાથે ભારે વરસાદ: ફ્લાઈટ્સ પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા; મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ

admin

Leave a Comment