Virat Gujarat
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

લિંક્ડઇનની 2025 ની ભારતની ટોચની કંપનીઓની યાદીમાં TCS, એક્સેન્ચર અને ઇન્ફોસિસ Top-3 પર

viratgujarat

એબોટ્ટએ પ્રત્યેક મિનીટે ગ્લુકોઝના સતત વાંચન અને વૈકલ્પિક એલાર્મ સાથે નેક્સ્ટ-જેન ફ્રીસ્ટાઇલ લિબ્રે®2 પ્લસ લોન્ચ કરી

viratgujarat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6: ડેબ્યૂટન્ટ કોલકાતા થંડરબ્લેડ્સ સ્ટેન્લીઝ ચેન્નાઈ લાયન્સ સામે, જ્યારે વેસ્ટર્ન ડર્બીમાં યુ મુમ્બાનો સામનો અમદાવાદ એસજી પાઈપર્સથી થશે

viratgujarat

Leave a Comment