Virat Gujarat
આરોગ્ય

ગુજરાતને પોતાની પ્રિસિશન કેન્સર કેર મળીઃ નારાયણ હોસ્પિટલ અમદાવાદે રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર શરૂ કર્યું

નારાયણ હોસ્પિટલ, અમદાવાદે આજે તેના નવા રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરના લોન્ચ સાથે ગુજરાતમાં કેન્સર કેરની પહોંચને મજબૂત બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું. આ સુવિધાનું ઉદઘાટન ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્ર સમગ્ર પ્રદેશના દર્દીઓની પહોંચમાં અદ્યતન, ચોક્કસ અને ઝડપી રેડિયેશન થેરપી લાવવા માટે રચાયું છે, જે ગંભીર કેન્સરની સારવાર માટે ઘરથી દૂર મુસાફરી કરવાની જરૂરિયાતને દૂર કરે છે.

કેન્દ્રના હાર્દમાં હેલ્સિયોન રેડિયેશન થેરપી સિસ્ટમ છે, જે ઝડપ અને ચોકસાઇ માટે હેતુ નિર્મિત ટેકનોલોજી છે. તે ઉચ્ચ- ચોકસાઇ, ઈમેજ -માર્ગદર્શિત સારવાર પ્રદાન કરે છે જ્યારે સ્વસ્થ આસપાસની પેશીઓની સન્મુખતા નોંધપાત્ર રીતે ઘટાડે છે, જેને લીધે પરિણામો અને એકંદર દર્દીના અનુભવ બંનેમાં સુધારો થાય છે.

રેડિયેશન થેરપી કેન્સરની સારવાર માટે સૌથી અસરકારક સાધનોમાંનું એક છે. કેન્સરના કોષોનો નાશ કરવા અને ગાંઠોને સંકોચવા માટે લક્ષિત ઉચ્ચ- ઊર્જા બીમનો ઉપયોગ કરીને, તે સારવારના તબક્કાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે: શરૂઆતના કેસોમાં ઉપચારાત્મક હેતુથી લઈને રોગની પ્રગતિ ધીમી કરવા અને અદ્યતન કેસોમાં લક્ષણોનું સંચાલન કરવા સુધી. છતાં આ સારવારની પહોંચ ગંભીર રીતે મર્યાદિત છે. ભારતમાં ફક્ત 550 કાર્યરત રેડિયોથેરપી મશીનો છે, જે ડબ્લ્યુએચઓની ભલામણ મુજબ પ્રતિ મિલિયન વસતિ એક મશીન કરતાં ઘણી ઓછી છે. ગુજરાતમાં પણ આ ભારણ એટલું જ ગંભીર છે, જ્યાં દર વર્ષે 70,000 થી 73,000 નવા કેન્સરના કેસ નોંધાય છે, જે રાષ્ટ્રીય સ્તરે નિદાન થતા 1.41 થી 1.46 મિલિયન કેસોનો એક ભાગ છે. આમાંથી લગભગ 40% અદ્યતન તબક્કામાં શોધી કાઢવામાં આવે છે, જ્યાં સારવારની ઝડપી પહોંચ સુવિધા નથી, પરંતુ ચિકિત્સકીય આવશ્યકતા છે. આ કેન્દ્ર શરૂ કરીને, નારાયણ હોસ્પિટલ અમદાવાદ આ પ્રદેશ માટે આ અંતરને પ્રત્યક્ષ દૂર કરે છે.

લોન્ચ દરમિયાન, નારાયણ હેલ્થના સ્થાપક અને અધ્યક્ષ ડૉ. દેવી શેટ્ટીએ જણાવ્યું હતું કે, “કેન્સરનો બોજ વધી રહ્યો છે અને વિલંબ માટેનું માર્જિન દરરોજ ઘટતું જાય છે. વહેલા અને ચોક્કસ હસ્તક્ષેપથી રિકવરી અને બિન- પરિવર્તનકારી પ્રગતિ વચ્ચેનો તફાવત બની શકે છે અને દરેક દર્દીને ઘરની નજીક તેની પહોંચ મળવી જોઈએ. આ કેન્દ્ર ગુજરાતના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે કે તેમને જરૂરી સંભાળ માટે રાહ જોવી પડશે નહીં, કે મુસાફરી કરવી પડશે નહીં.”

હેલ્સિયોન સિસ્ટમ આ પ્રતિબદ્ધતાને ચિકિત્સકીય રીતે પહોંચાડવા માટે રચાઈ છે. તે દરેક સત્ર પહેલાં મિલિમીટર- સચોટ ટ્યુમર ટાર્ગેટિંગ સુનિશ્ચિત કરવા માટે દૈનિક સિટી ઇમેજિંગનો ઉપયોગ કરે છે. ઇન્ટેન્સિટી- મોડ્યુલેટેડ રેડિયેશન થેરપી (IMRT), વોલ્યુમેટ્રિક મોડ્યુલેટેડ આર્ક થેરપી (VMAT) અને સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી જેવી ટેક્નિકો ગાંઠમાં ચોક્કસ, ઉચ્ચ- ડોઝ ડિલિવરીને આકાર આપે છે, કેટલાક સત્રો બે મિનિટમાં પૂર્ણ કરે છે, જ્યારે આસપાસની સ્વસ્થ પેશીઓને સુરક્ષિત રાખે છે.

અમદાવાદની નારાયણ હોસ્પિટલના ફેસિલિટી ડાયરેક્ટર શ્રી હેમંત ભટનાગરે જણાવ્યું હતું કે, “આ સેન્ટર અમારા વિશ્વાસનું પ્રતિનિધિત્વ કરે છે કે વિશ્વ કક્ષાની કેન્સર સંભાળ દર્દીઓના ઘરથી દૂર નહીં, પણ જ્યાં પણ તેઓ રહે છે ત્યાં ઉપલબ્ધ હોવી જોઈએ. હેલ્સિયોન સિસ્ટમ સાથે, અમે વધુ ચોકસાઈ, ટૂંકો સારવાર સમય અને અર્થપૂર્ણ રીતે વધુ સારા સંભાળ અનુભવ સાથે નોંધપાત્ર રીતે મોટી સંખ્યામાં દર્દીઓને સેવા આપવા માટે સજ્જ છીએ.”

અમદાવાદની નારાયણ હોસ્પિટલના કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ ડૉ. તસ્નીમ નાલાવાલાએ ઉમેર્યું હતું કે, “હેલ્સિઓન અમને થોડી મિનિટોમાં સચોટ, ઈમેજ -માર્ગદર્શિત સારવાર પહોંચાડવાની મંજૂરી આપે છે. ટૂંકો સારવાર સમય દર્દીના અનુભવમાં અર્થપૂર્ણ ફરક લાવે છે, ખાસ કરીને જેઓ લાંબા સત્રો મુશ્કેલ માને છે તેમના માટે. આ ટેકનોલોજી અમને ઉચ્ચતમ ચિકિત્સકીય ધોરણોને જાળવી રાખવા દે છે જ્યારે સંભાળને ખરેખર વધુ સુલભ બનાવે છે.”

આ લોન્ચ સાથે નારાયણ હોસ્પિટલ, અમદાવાદની ઓન્કોલોજી ઓફરિંગ હાલની શ્રેષ્ઠ સંભાળ મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી અને હવે રેડિયેશન ઓન્કોલોજી સાથે વ્યાપક બની ગઈ છે, જે એક છત નીચે સંકલિત કેન્સર સંભાળને સક્ષમ બનાવે છે. અમદાવાદ અને પાડોશી જિલ્લાઓના રહેવાસીઓ માટે, આનો અર્થ એ છે કે પ્રદેશ છોડ્યા વિના કેન્સરની સારવારના સંપૂર્ણ સ્પેક્ટ્રમની ઍક્સેસ, એક પગલું જે નારાયણ હેલ્થના વ્યાપક સંકલ્પને પ્રતિબિંબિત કરે છે કે ભૂગોળ ક્યારેય દર્દીને મળતી સંભાળની ગુણવત્તા નક્કી ન કરે.

 

Related posts

ત્રિચીમાં એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ: હાઈડ્રોલિક ફેલ્યોર થતાં 3 કલાક હવામાં ચક્કર લગાવ્યા, 141 મુસાફરો સાથે શારજાહ જઈ રહ્યું હતું

admin

ઓડીએ પુણેમાં ડિલિવરી બોયને કચડી નાખ્યો, મોત: કાર સવાર ભાગી ગયો; CCTV દ્વારા આરોપીની ઓળખ થયા બાદ અરેસ્ટ કરાયો

admin

સામાનથી ભરેલા કાર્ટુનો વચ્ચે કામ કરતા CM આતિશી: બંગલો ખાલી કરાવવામાં આવ્યો; LG ઓફિસે કહ્યું- દિલ્હીમાં 6 નંબરનો બંગલો મુખ્યમંત્રીનું ઘર નથી

admin

Leave a Comment