Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન

મનોરથી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામ દ્વારા રૂપિયા ૫ લાખ દાન

તલગાજરડા | ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫: શ્રી ધામ બરસાનામાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં શ્રી માતાજી ગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે. મનોરથી સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુચિત્રકુટધામતલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે.

મથુરા પાસેના શ્રી ધામ બરસાનામાં શ્રી માતાજીગૌશાળા સેવાર્થે ગત શનિવારથી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા’માનસ ગૌસુકત’ ગાન થઈ રહ્યું છે. શ્રી રમેશબાબાજી મહારાજ આ ગૌશાળાનાં પ્રતિષ્ઠાપક રહ્યાં છે, જ્યાં ૬૫ હજારથી વધુ ગૌધનનું સેવા કાર્ય થઈ રહ્યું છે.

શ્રી મોરારિબાપુ દ્વારા થતી રામકથા ગાન માત્ર ક્રિયાકાંડ ન બને તે કાયમી હેતુ રહ્યો છે, ત્યારે અહીંની રામકથા ગૌ સેવા હેતુ રહેલી છે. અહીંયા મનોરથી શ્રી હરેશભાઈ સંઘવી પરિવાર દ્વારા રૂપિયા ૫ કરોડ ૪ લાખ અને શ્રી મોરારિબાપુ ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૫ લાખ દાન થયેલ છે. ઉલ્લેખનીય છે કે, શ્રી મોરારિબાપુ કોઈ પણ ઉપક્રમ કે વ્યાસપીઠ સંબંધી ટહેલ હોય શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા તુલસીપત્ર ભાવ સાથે સહયોગી બનતાં જ રહ્યાં છે. આ રામકથામાં શ્રી માતાજીગૌશાળા માટે અઢળક દાન પ્રાપ્ત થઈ રહ્યું છે.

Related posts

પરંપરા “ધ ટેસ્ટ ઓફ ટ્રેડિશન” એ તાજેતરમાં તેની એક વર્ષની એનિવર્સરી ઉજવી

viratgujarat

ક્લાસિક લેજેન્ડ્સે જાવા, યેઝદી અને બીએસએ ડીલરશીપ નેટવર્કમાં 9-દિવસીય “લેજેન્ડ્સ કેર કેમ્પ” લોન્ચ કર્યો

viratgujarat

સેમસંગ ભારતમાં પ્રીમિયમ ફોલ્ડેબલ્સ પર ફેસ્ટિવ ઓફર્સ જાહેર કરે છે

viratgujarat

Leave a Comment