Virat Gujarat
Uncategorized

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ પ્રસંગે આજ રોજ સવારે 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે આવેલ “નર્મદાઘાટ” સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા અને ચીમનભાઈ પટેલ પુલના છેડે આર.ટી.ઓ સર્કલ પાસેની ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા પરીવારજનો સાથે, એ.આઈ.સી.સી જનરલ સેક્રેટરીશ્રી મુકુલભાઈ વાસનિક, એ.આઈ.સી.સી સેક્રેટરીશ્રી રામકીશનભાઈ ઓઝા, જી.પી.સી.સી પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, જી.પી.સી.સી પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, રાજ્યસભા સાંસદશ્રી નરહરિભાઈ અમીન, ઉપરાંત સામાજીક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના લોકલાડીલા નેતા સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલને
પુષ્પાંજલિ અર્પી હતી.

Related posts

વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની સ્વચ્છ ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કદ વધ્યું

viratgujarat

ચાર રાજ્યોમાં નવી શાખાઓ સાથે પીએનબી મેટલાઈફ પહોંચ વિસ્તારે છે

viratgujarat

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

viratgujarat

Leave a Comment