Virat Gujarat
Uncategorized

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ

તારીખ 17-02-2026ના રોજ ગુજરાતના સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલની 32મી પૂણ્યતિથિ પ્રસંગે આજ રોજ સવારે 08:30 થી 09:30 ગાંધીનગર ખાતે આવેલ “નર્મદાઘાટ” સમાધિ સ્થળ પર પ્રાર્થના સભા અને ચીમનભાઈ પટેલ પુલના છેડે આર.ટી.ઓ સર્કલ પાસેની ચીમનભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શ્રી સિધ્ધાર્થભાઈ પટેલ તથા પરીવારજનો સાથે, એ.આઈ.સી.સી જનરલ સેક્રેટરીશ્રી મુકુલભાઈ વાસનિક, એ.આઈ.સી.સી સેક્રેટરીશ્રી રામકીશનભાઈ ઓઝા, જી.પી.સી.સી પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડા, જી.પી.સી.સી પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ ઠાકોર, રાજ્યસભા સાંસદશ્રી નરહરિભાઈ અમીન, ઉપરાંત સામાજીક અને શૈક્ષણિક સંસ્થાના આગેવાનો તેમજ અગ્રણી નેતાઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના લોકલાડીલા નેતા સ્વ. મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલને
પુષ્પાંજલિ અર્પી હતી.

Related posts

જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ માંગમાં વધારા વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને LPGનો ઇંધણ પુરવઠો ચાલુ રાખ્યો

viratgujarat

અદાણી ફાઉન્ડેશને પાાંચ રાજ્યોમાાં ક્લબફૂટથી અસરગ્રસ્ત ૧૦,૦૦૦થી વધુ બાળકોને સહાયરુપ થવા અનુષ્કા ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરી

viratgujarat

KONAMI એ ક્રિકેટ આઇકોન રિંકુ સિંહ અને વરુણ ચક્રવર્તી, મલયાલમ સ્ટાર્સ નસલેન ગફૂર અને ચંદુ સલીમ કુમાર સાથે જોડાણ કર્યું ન્યુ ઇન્ડિયા eFootball™ ઝુંબેશ માટે!

viratgujarat

Leave a Comment