એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઈડીઆઈઆઈ), અમદાવાદ, જેને ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય દ્વારા ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ તરીકે માન્યતા આપવામાં આવી છે, તેણે 18 મે 2026ના રોજ પોતાના અમદાવાદ કેમ્પસ ખાતે શૈક્ષણિક કાર્યક્રમોના 25મા દીક્ષાંત સમારોહનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સક્સેનાએ ઉપસ્થિતિ આપી હતી। આ પ્રસંગે શ્રી રાકેશ શર્મા, પ્રમુખ – ઈડીઆઈઆઈ તથા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, આઈડીઆઈબીઆઈ બેંક લિમિટેડ; ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈ; તેમજ ઈડીઆઈઆઈ ગવર્નિંગ બોર્ડના પ્રતિષ્ઠિત સભ્યો પણ હાજર રહ્યા હતા। તેમાં શ્રી ગોપાલ ઝા, ચીફ જનરલ મેનેજર (એસએમઈ એન્ડ સપ્લાય ચેન્જ ફાઇનાન્સ), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મુંબઈ; ડૉ. મિલિંદ કાંબલે, સ્થાપક અધ્યક્ષ, દલિત ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ડીઆઈસીસીઆઈ), પુણે; શ્રી રાજેશ ગાંધી, મેનેજીગ ડાયરેક્ટ, વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અમદાબાદ; તથા ડૉ. ઓ. પી. ગોયલ, સલાહકાર ટુ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, નવી દિલ્હીનો સમાવેશ થાય છે।
25મા દીક્ષાંત સમારોહ દરમિયાન વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો હેઠળ કુલ 98 વિદ્યાર્થીઓ અને સ્કોલર્સને ડિપ્લોમા તેમજ પૂર્ણતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ વર્ષની સ્નાતક બેચમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – એન્ટરપ્રેન્યોરશિપ (પીજીડીએમ-ઈ)ના 76 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઇનોવેશન એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ વેન્ચર ડેવલપમેન્ટ (પીજીડીએમ-આઈઈવી)ના 8 વિદ્યાર્થીઓ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ – ઓનલાઇન (પીજીડીએમ-ઓનલાઇન)ના 11 વિદ્યાર્થીઓ તેમજ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ (એફપીએમ)ના 3 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે।
જ્યાં પીજીડીએમ-ઈના 38 વિદ્યાર્થીઓએ તેમની 5 વર્ષની પર્સ્પેક્ટિવ ગ્રોથ પ્લાનને અંતિમ સ્વરૂપ આપ્યું છે, ત્યાં પીજીડીએમ-ઈ અને પીજીડીએમ-આઈઈવી કાર્યક્રમના 46 વિદ્યાર્થીઓએ ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) તૈયાર કર્યા છે। વિદ્યાર્થીઓએ સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ ઇનોવેશન પોલિસી હેઠળ ગ્રાન્ટ મંજૂરીઓ પણ પ્રાપ્ત કરી છે। ઓળખાયેલા કેટલાક વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્લાસ્ટિક વેસ્ટ રિસાયક્લિંગ પ્લાન્ટ, એઆઈ પ્લેટફોર્મ્સ, બાળ માનસિક આરોગ્ય, લેન્ડસ્કેપિંગ એન્ડ હોર્ટિકલ્ચર સોલ્યુશન્સ, પેટ હેલ્થ ટેક ઇકોસિસ્ટમ તેમજ બાયોડિગ્રેડેબલ પેપર બોટલ્સનું ઉત્પાદન સામેલ છે।
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્ય અતિથિ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) શ્રી વિનય કુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, “મહત્વપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કર્યા પછી ઘણીવાર એવું ભ્રમ ઊભું થાય છે કે હવે આપણું શિક્ષણ પૂર્ણ થઈ ગયું છે। પરંતુ આ સત્ય નથી। શીખવાની પ્રક્રિયા જીવનભર ચાલતી અને સતત આગળ વધતી યાત્રા છે। સતત બદલાતી દુનિયામાં સફળ થવા માટે વ્યક્તિએ જિજ્ઞાસા, કંઈક નવું શીખવાની ઉત્સુકતા અને વધુ સારા વ્યાવસાયિક તરીકે વિકસવાની ભાવના જાળવી રાખવી જરૂરી છે। તમારી આસપાસની દુનિયા હંમેશા તમારી પાસેથી જ્ઞાનની શોધમાં રહેલા વિદ્યાર્થી અને વિદ્વાન તરીકે આગળ વધવાની અપેક્ષા રાખશે। જ્ઞાન મેળવવાની આ તલપ તમારી ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે અને આજની સતત બદલાતી દુનિયાનો સામનો કરવા માટે તમને તૈયાર કરશે। તેથી હું સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને એટલું જ કહીશ કે તેઓ ઉત્તમ ઉદ્યોગસાહસિક બને, નૈતિકતા સાથે કાર્ય કરે, કારણ કે આ જ સૌથી મોટી સેવા છે જે તમે તમારા માટે અને દેશ માટે કરી શકો છો। તમારા લક્ષ્યો નક્કી કરો, તેમને પ્રાપ્ત કરવા માટે અવિરત મહેનત કરો અને જાતને રાષ્ટ્ર તથા માનવજાતની સેવા માટે સમર્પિત કરો।”
વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં ઈડીઆઈઆઈના પ્રેસિડેન્ટ તેમજ આઈડીબીઆઈ બેંક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર એન્ડ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી રાકેશ શર્માએ જણાવ્યું હતું કે, “નવોત્તરતા ઉદ્યોગસાહસિકતાનો આધારસ્તંભ બની રહી છે। ઈડીઆઈઆઈના પૂર્વ વિદ્યાર્થીઓએ આ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સાથે જ હું સ્નાતક થઈ રહેલા વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ જીવનભર શીખવાની માનસિકતા જાળવી રાખે — સ્થાપિત માન્યતાઓ પર પ્રશ્નો ઉઠાવે, વિકલ્પોની શોધ કરે અને સર્જનાત્મકતા તથા હેતુપૂર્ણ અભિગમ સાથે પડકારોનો સામનો કરે। અસ્થિરતા, અનિશ્ચિતતા, જટિલતા અને અસ્પષ્ટતાથી ભરેલી આ દુનિયામાં બદલાતી પરિસ્થિતિઓને અનુરૂપ થવાની ક્ષમતા હવે વિકલ્પ નહીં પરંતુ અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે। જોકે, હું ફરી એકવાર આ વાત પર ભાર મૂકવા માંગું છું કે સાચો ઉદ્યોગસાહસિક ક્યારેય અવરોધોથી નિરાશ થતો નથી। તેના વિરુદ્ધ, પડકારો તમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે અને તમારા લક્ષ્ય પ્રત્યેની એકાગ્રતાને વધુ તીક્ષ્ણ બનાવે। સ્થિરતા, દૃઢ નિશ્ચય અને સાહસ સાથે તમારે અવરોધોનો સામનો કરીને સતત આગળ વધવું જોઈએ।”
ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈએ જણાવ્યું, “ગત ચાર દાયકાથી વધુ સમય દરમિયાન અમે ઉદ્યોગસાહસિકતાની ભાવનામાં નોંધપાત્ર વધારો અનુભવ્યો છે। આજે વિવિધ નીતિઓ અને વિકાસ મોડેલો વચ્ચે ઉદ્યોગસાહસિકતાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે। સ્ટાર્ટ-અપની લહેર યુવાનોને ઉદ્યોગસાહસિકતાને કારકિર્દી તરીકે અપનાવવા માટે પ્રેરિત કરી રહી છે। મને આ વાત જણાવતાં પણ આનંદ થાય છે કે ઉદ્યોગસાહસિકોને તૈયાર કરવામાં તાલીમ અને માર્ગદર્શનના મહત્વને અગાઉ કરતાં વધુ માન્યતા મળી છે। આજે સમાજ કોઈપણ ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકના વિકાસમાં જ્ઞાન, કૌશલ્ય અને દૃઢ નિશ્ચયની શક્તિને સ્વીકારી રહ્યો છે।”
કાર્યક્રમનો સમાપન ડૉ. સુનીલ શુક્લા, ડિરેક્ટર જનરલ, ઈડીઆઈઆઈ દ્વારા આભારવિધિ સાથે થયો।
