Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

2026નો વર્તારો: વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટનો ગ્રાફ હવે ઉપરની દિશાએ જ

વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વર્ષ 2025ની વૃદ્ધિના સશક્ત સમયગાળા પછી, 2026માં વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટ હવે વધુ સ્થિર અને એકીકૃત તબક્કામાં પ્રવેશવાની અપેક્ષા ધરાવે છે. હાલમાં જ્યારે તાજેતરના સમયગાળામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત વિકાસને કારણે ઘણા ફાયદા જોવા મળ્યા છે, તેવામાં બહેતર સમાવેશિતા, ભાડામાં ડાઇનેમિક સુધારો તેમજ કિંમતની વૃદ્ધિમાં થતા સતત સુધારાને કારણે આગામી વર્ષ હકારાત્મક રહેવાની સંભાવના છે.

બિલ્ડર અને પ્રોજેક્ટના આધારે માર્કેટ ડેટા – વડોદરા રિયલ એસ્ટેટ માર્કેટ અપડેટ (એપ્રિલ-મે 2025)માં જણાવ્યા મુજબ છેલ્લા બેથી ત્રણ વર્ષમાં જમીનના ભાવમાં 60-80%ના વધારાની નોંધ થઈ છે, જે માંગમાં રહેલી મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત લાભ અપેક્ષા પર અવલંબવાને બદલે ઑપરેશન આધારિત બનશે, તેમ તેમ માર્કેટનું વર્તન સામાન્ય થતું જવાની અપેક્ષા છે. છેલ્લા 24-36 મહિનામાં પસંદગીના વિકાસ કોરિડોરમાં જમીનના ભાવમાં 60-80%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે ભાવ ₹2,500-3,000 પ્રતિ ચોરસ ફૂટથી વધીને ₹4,500-5,000 પ્રતિ ચોરસ ફૂટ જેટલા થયા છે.

બહેતર કનેક્ટિવિટી અને રોજગાર સર્જનને કારણે શહેરમાં સ્થળાંતર થવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે, જે ભાડા અને માલિકીના ઘરની માંગ બન્નેને સપોર્ટ કરતી જ રહેશે. જેમ જેમ ભાડા પર રહેનારી નવી વ્યક્તિઓ માર્કેટમાં ઉમેરાતી રહેશે, તેમ તેમ ભાડાના મકાનો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે એવી અપેક્ષા રાખવામાં આવે છે, જે લાંબા ગાળાના રહેણાંક નિવાસની આવશ્યકતાને સપોર્ટ આપતી પાઇપલાઇનનું સર્જન કરતી રહેશે.

2026માં ડેવલપરનું ફોકસ સંગઠિત રહેણાંક આવાસો, બહેતર આયોજન તેમજ સુધારિત સામાજિક માળખાગત સુવિધાઓ પર રહેવાની અપેક્ષા છે. આ પરિવર્તન કોઈ પરિપક્વ માર્કેટના અસ્તિત્વને પ્રતિબિંબિત કરે છે, જેમાં ઝડપી વિસ્તરણ કરતાં સ્થિરતા અને આવાસમાં રહેવાની બહેતર સુવિધાઓને પ્રાધાન્યતા આપવામાં આવશે.

વડોદરાના મેટ્રો શહેરની વસ્તીમાં સતત વધારો (લગભગ 2% વાર્ષિક) રહેઠાણની સતત માંગને સપોર્ટ કરે છે. નિષ્ણાતોના માનવા અનુસાર, મૂડીમાં સતત વૃદ્ધિ મેળવવા તેમજ ભાડાની ઉપજમાં બહેતર સુધારો મેળવવા વડોદરાની સ્થિતિ અગ્રેસર રહેવાની ધારણા છે.

==◊◊♦◊◊==

Related posts

ગુજરાતમાં પહેલીવાર ‘રેડી પઝેશન પ્રોપર્ટી એક્સ્પો’નું આયોજન – અમદાવાદ ના લોકોએ મળશે 50થી વધુ પ્રોપર્ટીઝ ના વિકલ્પ

viratgujarat

ગુજરાતમાં ગૌવંશ અને તેમને બચાવનાર ગૌરક્ષકો બન્ને હાલ અસુરક્ષિત છે

viratgujarat

રામ નવમી પર્વ નિમિતે જગદગુરુ શંકરાચાર્ય શ્રી ભરતભાઇ પોપટની ષષ્ઠી પૂર્તી ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધારશે

viratgujarat

Leave a Comment