ભારતની પસંદગીની એરલાઇન ઇન્ડિગોએ4 ઓગસ્ટ 2026થી ગુવાહાટી અને દેવઘર વચ્ચે સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ નવી સેવા અઠવાડિયામાં બે વાર, મંગળવાર અને શુક્રવારેકાર્યરત થશે, જે ઉત્તર-પૂર્વ ભારત અને ઝારખંડના આધ્યાત્મિક સ્થળ વચ્ચે કનેક્ટિવિટી મજબૂત કરશે. ગ્રાહકો ઇન્ડિગોની સત્તાવાર વેબસાઇટ, મોબાઇલ એપ્લિકેશન અથવા અધિકૃત ટ્રાવેલ પાર્ટનર્સ દ્વારા તેમની મુસાફરીનું બુકિંગ કરી શકે છે.
ઇન્ડિગો એ દિલ્હી, મુંબઈ અને બેંગલુરુની સીધી ફ્લાઇટ્સ સાથે દેવઘરને જોડતી એકમાત્ર એરલાઇન છે. પૂજનીય બાબા બૈદ્યનાથ ધામ જ્યોતિર્લિંગનું ઘર ગણાતું આ શહેર દર વર્ષે લાખો ભક્તોને આકર્ષિત કરે છે અને પૂર્વ ભારતમાં એક મુખ્ય પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગુવાહાટી—જે વાણિજ્ય, શિક્ષણ અને પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ પ્રાદેશિક હબ છે અને ઉત્તર-પૂર્વ ભારતનું પ્રવેશદ્વાર છે—તેનો સમાવેશ થવાથી માત્ર યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે કનેક્ટિવિટી વધશે એટલું જ નહીં, પરંતુ બંને પ્રદેશો વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને પણ વેગ મળશે.
ગુવાહાટી – દેવઘર વચ્ચેની ફ્લાઇટ્સનું શેડ્યૂલ (4 ઓગસ્ટ 2026થી અમલી)
| રૂટ (Sector) | ફ્લાઇટ નંબર | ઓપરેશનના દિવસો | પ્રસ્થાન (Departure) | આગમન (Arrival) |
| ગુવાહાટી – દેવઘર | 6E 7709 | મંગળવાર, શુક્રવાર | 09:25 | 11:20 |
| દેવઘર – ગુવાહાટી | 6E 7710 | મંગળવાર, શュક્રવાર | 11:40 | 13:35 |
* તમામ સમય સ્થાનિક ટાઇમ ઝોન મુજબ છે.
** શેડ્યૂલ તમામ નિયમનકારી મંજૂરીઓને આધીન છે.
