Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ સનાતન ધર્મ’

દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથા ‘માનસ સનાતન ધર્મ’ ગાનમાં બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ, ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા.

સનાતન ધર્મ મૂલ્યોના વૈશ્વિક ચિંતન સાથે રાજધાની દિલ્લીમાં શ્રી મોરારિબાપુના વ્યાસાસને ચાલતી રામકથામાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહાનુભાવો લાભ લઈ રહ્યાં છે. શ્રી લોકેશમુનિના નેતૃત્વ સાથે ‘માનસ સનાતન ધર્મ’ ગાન કરતાં શ્રી મોરારિબાપુ દ્વારા બ્રહ્મ, પુરુષ, સ્વભાવ, જીવ, કુળ,  ધર્મ અને સત્ય એ સનાતન સપ્તક વર્ણવાયા. અહીંયા વિવિધ સાંસ્કૃતિક ઉપક્રમો રજૂ થયાં હોય તેમ લોકસાહિત્ય, રાષ્ટ્રસાહિત્ય અને વેદ સંસ્કૃતિની વાત થઈ.

‘માનસ સનાતન ધર્મ’ રામકથા ગાન કરતાં શ્રી મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી સનાતન મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું ગાન થઈ રહ્યું છે. રામકથામાંચોથા દિવસે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મુનિનું મૌન અને ઋષિની વાણી એ સનાતન છે. આજની કથામાં ભાર પૂર્વક સંદેશો અપાયો કે, અસ્તિત્વ તૈયાર છે, આપણે તે માટે તૈયાર રહેવું પડશે. તેઓએ વિનમ્રભાવેઉમેર્યું કે, જીવન સમજવાની કોશિશ કરી છું, તમને પણ સમજાવવા કોશિશ કરું છું.

શ્રી મોરારિબાપુએ કહ્યું કે, મારા ફુલ કરમાય નહી, અસ્તિત્વ પોકાર કરે તેવા યુવાન ફૂલોની માંગ ભાર અને ભાવ પૂર્વક કરેલ.

વિશ્વ શાંતિ કેન્દ્રના આચાર્ય શ્રી લોકેશમુનિના માર્ગદર્શન સાથે દિલ્લીમાંયોજાયેલ આ કથામાં પંજાબ રાજ્યપાલ શ્રી ગુલાબચંદકટારિયા,  રશિયા તથા પનામા દેશના રાજદૂતો ઉપસ્થિત રહ્યા અને શ્રી મોરારિબાપુ દ્વારા વિશ્વ કલ્યાણની ભાવના સાથેના આ ઉપક્રમની પ્રશંસા કરી, તેઓ રામાયણજી આરતીમાં પણ જોડાયા.

∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇Δ∇

Related posts

કેવળ પ્રેમના દૂધમાં કેવળ જ્ઞાન સાકરની જેમ ભળી જાય છે.

viratgujarat

એબોટ દ્વારા ભારતમાં તેની સૌથી અદ્યતન ડ્રગ-એલ્યુટિંગ સ્ટેન્ટ ઝાયન્સ સ્કાયપોઇન્ટ™ રજૂ

viratgujarat

વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું

viratgujarat

Leave a Comment