ગાંધીનગર, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — માનસિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા અને યુવાનોને મજબૂત તથા નશામુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે, શ્રી વિદિત શર્મા (યુથ એમ્બેસેડર, ગુજરાત સરકાર) એ શ્રી અજય ચૌધરી, IPS (ADGP), ગુજરાત સરકાર સાથે મળીને “માઇન્ડ સ્ટ્રોંગ ગુજરાત” અભિયાન હેઠળ GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગાંધીનગર ખાતે માનસિક આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજ્યો.
“આત્મહત્યા નહિ | નશાને ના કહો”
રાજ્ય સ્તરે અસર:
36+ કોલેજ અને યુનિવર્સિટીમાં કાર્યક્રમો અને 10 લાખ+ યુવાનો સુધી પહોંચ.
