Virat Gujarat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ: દેવીની મૂર્તિનો હાથ તોડ્યો; પોલીસે કહ્યું- ચોરોએ દાનપેટી હટાવી, જેથી મૂર્તિને નુકસાન થયું

હૈદરાબાદ10 કલાક પેહલા

કૉપી લિંક

હૈદરાબાદના નામપલીમાં કેટલાક લોકોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી. આરોપીઓએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી નાખ્યો હતો. શુક્રવારે સવારે જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણકારી મળી.

આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ થયો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર હતી. આ ઘટના કયા સમયે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જો કે, પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકોએ હુંડી (દાન પેટી) બાજુ પર ખસેડી હતી, જેના કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ પડી ગયો હતો. પ્રદર્શન સોસાયટીના રહેવાસીઓ અને સ્ટાફ દર વર્ષે દેવી શરણ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે દેવીની મૂર્તિ બનાવે છે.

પહેલા વીજળી કાપી, પછી સીસીટીવી તોડ્યા પોલીસ અને આયોજકોએ જણાવ્યું કે આરોપીઓએ પંડાલમાં પ્રવેશતા પહેલા વીજળી કાપી નાખી. આ પછી તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેના કારણે હજુ સુધી ઘટનાના સમયના કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આરોપીઓએ બેરિકેડિંગ હટાવીને પૂજાની વસ્તુઓ ફેંકી દીધી હતી.

Related posts

HCPIDના સહયોગથી ભારત ફ્લોરિંગ એન્ડ ટાઇલ્સે ‘શૂન્યા તાલ કલેક્શન’ લોન્ચ કર્યું

viratgujarat

અદાણી રિયલ્ટીના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ દ્વારા ફોક ફ્યુઝન ગરબા સાથે નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

viratgujarat

ફ્રાન્સમાં આવેલ વિનાશક વાવાઝોડામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

viratgujarat

Leave a Comment