Virat Gujarat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

હૈદરાબાદના દુર્ગા પંડાલમાં તોડફોડ: દેવીની મૂર્તિનો હાથ તોડ્યો; પોલીસે કહ્યું- ચોરોએ દાનપેટી હટાવી, જેથી મૂર્તિને નુકસાન થયું

હૈદરાબાદ10 કલાક પેહલા

કૉપી લિંક

હૈદરાબાદના નામપલીમાં કેટલાક લોકોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી. આરોપીઓએ દુર્ગા દેવીનો હાથ પણ તોડી નાખ્યો હતો. શુક્રવારે સવારે જ્યારે આયોજકો પૂજા કરવા પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણકારી મળી.

આયોજકોએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે દાંડિયા કાર્યક્રમ થયો ત્યાં સુધી પોલીસ ત્યાં હાજર હતી. આ ઘટના કયા સમયે બની તે અંગેની માહિતી હજુ સામે આવી નથી. જો કે, પોલીસનું કહેવું છે કે અજાણ્યા લોકોએ હુંડી (દાન પેટી) બાજુ પર ખસેડી હતી, જેના કારણે દેવી દુર્ગાની મૂર્તિનો હાથ પડી ગયો હતો. પ્રદર્શન સોસાયટીના રહેવાસીઓ અને સ્ટાફ દર વર્ષે દેવી શરણ નવરાત્રીની ઉજવણીના ભાગરૂપે દેવીની મૂર્તિ બનાવે છે.

પહેલા વીજળી કાપી, પછી સીસીટીવી તોડ્યા પોલીસ અને આયોજકોએ જણાવ્યું કે આરોપીઓએ પંડાલમાં પ્રવેશતા પહેલા વીજળી કાપી નાખી. આ પછી તેઓએ ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા. જેના કારણે હજુ સુધી ઘટનાના સમયના કોઈ ફૂટેજ સામે આવ્યા નથી. આરોપીઓએ બેરિકેડિંગ હટાવીને પૂજાની વસ્તુઓ ફેંકી દીધી હતી.

Related posts

મુંબઈમાં મોડી રાત્રે તોફાન સાથે ભારે વરસાદ: ફ્લાઈટ્સ પ્રભાવિત, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા; મધ્યપ્રદેશ-રાજસ્થાન સહિત 15 રાજ્યોમાં આજે વરસાદનું એલર્ટ

admin

સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025 દ્વારા રાષ્ટ્ર્રીય મંચ પર ગ્રામીણ અને ટિયર 2/3ના વિચારો લાવવા માટે ગ્રાન્ડ ફિનાલે માટે 20 ફાઈનલિસ્ટોની ટીમ જાહેર

viratgujarat

પાત્રતા વગર શાસ્ત્ર પચતું નથી.

viratgujarat

Leave a Comment