Virat Gujarat
અવેરનેસએજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ભારત થાલિર વીક – શિક્ષણ અને જાગૃતિ પહેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણા

અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — યંગ ઇન્ડિયન્સ (Yi) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) ના સહયોગથી ભારત થાલિર વીક સફળતાપૂર્વક યોજાયો, જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને જાગૃતિ પહેલોની શ્રેણી દ્વારા જોડવામાં આવ્યા.

9 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલ આ સપ્તાહ દરમિયાન અનેક શાળાઓમાં કુલ 51 સત્રો યોજાયા, જેમાં ઇન્ટરએક્ટિવ વર્કશોપ્સ અને પ્રાયોગિક શીખણ પ્રવૃત્તિઓ દ્વારા 3,365 વિદ્યાર્થીઓ પર સકારાત્મક અસર પડી.

આ સપ્તાહ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રતિષ્ઠિત આઇસક્રીમ ઉત્પાદન એકમની ફેક્ટરી મુલાકાતનો સમાવેશ થાય છે, જેનાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતા વિશે જાણકારી મળી. તે ઉપરાંત લિપ્પન આર્ટ, નાણાકીય સાક્ષરતા, ઇનોવેશન ડિઝાઇન થિંકિંગ વર્કશોપ અને હેલ્થ અવેરનેસ વિષયક વર્કશોપ્સ વિવિધ ભાગીદાર શાળાઓમાં યોજાયા, જેનાથી સૈંકડો વિદ્યાર્થીઓને લાભ મળ્યો.

માસિક સ્રાવ દરમિયાન સ્વચ્છતા, પોષણ, ડિજિટલ સલામતી, માર્ગ સલામતી અને બાળ સુરક્ષા અંગે જાગૃતિ સત્રો પણ યોજવામાં આવ્યા હતા, જેનો હજારો યુવા શીખનારાઓ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હતો.

આ ઉપરાંત, અનેક શાળાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સતત શૈક્ષણિક પહેલ દ્વારા જવાબદાર, જાગૃત અને સશક્ત વિદ્યાર્થીઓને ઉછેરવા માટે સહયોગને મજબૂત બનાવે છે.

ભારત થાલિર વીકએ અનુભવાત્મક શિક્ષણ અને સમુદાય સહભાગિતાની મહત્વતા પર પ્રકાશ પાડ્યો, જે યુવા મનોના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Related posts

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ASSOCHAMના “ગુજરાત: પાવરિંગ ગ્લોબલ ગ્રોથ” ઇન્ટરેક્ટિવ સેશનમાં સહભાગી થયા

viratgujarat

તલગાજરડા ખાતે પુ.બાપુની પ્રેરણાથી 48 મા હનુમંત મહોત્સવનું મંગલાચરણ આજે ગુરુવારે રજૂ થયું પં.જયતીર્થનું શાસ્ત્રીય ગાયન

viratgujarat

દક્ષિણ આફ્રિકી પ્રવાસને અમદાવાદના રોડશોમાં 250થી વધુ વેપારી ભાગીદારોને રોક્યા

viratgujarat

Leave a Comment