Virat Gujarat
બિઝનેસ

એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા : જનતાના ખિસ્સા કાપવાની ભાજપ સરકારની નવી શરૂઆત? : ડૉ. મનિષ દોશી

એપ્રિલ મહિનાના પ્રથમ દિવસથી જ મોંઘવારીના ઝટકા પર ઝટકા થી દેશના ગરીબ સામાન્ય મધ્યમવર્ગના લાખો પરિવારો વધતી જતી મોંઘવારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા છે. શું આ અચ્છે દીન છે ? તેવો ભાજપ સરકારને વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે સૌથી મોટો ઝટકો ત્યારે આવ્યો જ્યારે કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ ₹200 વધારી દેવાયો,જે હવે અનેક જગ્યાએ ₹2000 પાર ગયો છે. ચા-થેલાથી લઈને મિડ-ડે મીલ, આંગણવાડી સહિત જાહેર અન્નક્ષેત્રો જેવી સેવાઓ પર તેનો સીધો પ્રભાવ પડવાનું શરુ થઇ ગયું છે. તે સાથે જ હાઇવે ટોલ ટેક્સમાં પણ વધારો થયો છે, ટોલ ટેક્સમાં વધારાથી પરિવહનનો ખર્ચ વધશે. જેના લીધે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, ખાદ્ય પદાર્થમાં વધારા થશે. અંદાજ મુજબ 2026–27માં દેશભરમાં ટોલ વસુલાત ₹80,000 કરોડ સુધી પહોંચી શકે છે.
ઇંધણના ભાવ ખાનગી કંપનીઓ આગળ જેમાં ૨૬ માર્ચે Nayara Energyએ પેટ્રોલ ₹૫.૩૦/લીટર અને ડીઝલ ₹૩/લીટર વધાર્યા, ૩૧ માર્ચે Shell એ ભાવ વધારીને પેટ્રોલ ₹૧૧૨/લીટર અને ડીઝલ ₹૯૮/લીટર કર્યા. પાંચ રાજ્યોની ચૂંટણી બાદ કેન્દ્રની મોદી સરકારની સુચના થી સરકારી તેલ કંપનીઓ પણ ભાવ વધારો ઝીંકશે. મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિ મિત્રોના ૨૬ લાખ કરોડ જેટલી માતબર રકમ માફ કરી દીધી છે. બીજીબાજુ દેશનો સામાન્ય-મધ્યમ વર્ગના ખિસ્સામાંથી પેટ્રોલ ડીઝલમાં સતત એક્સાઈઝ ડયુટીમાં જંગી વધારો ઝીંકીને મોદી સરકારે છેલ્લા ૧૧ વર્ષમાં ૩૫ લાખ કરોડ જેટલી માતબર રકમ દેશની ૧૪૦ કરોડ જનતાના ખિસ્સામાંથી લુંટ કરી છે. રાષ્ટ્રીય બેંકો દ્વારા ઓછા બેલેન્સ અને સેવાના નામે છેલ્લા પાંચ વર્ષમાં ₹ ૨૮૪૯૫ કરોડ જેટલી જંગી રકમ બેંક ખાતા ધારકો / જનતા પાસેથી વસુલાત કરવામાં આવી છે. ભારતીય રેલ્વે દ્વારા પણ જુદી જુદી સુવિધાઓના નામે છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦૦૦ કરોડ જેટલી જંગી રકમ જનતા પાસેથી વસુલ કરવામાં આવી છે.
ભારતીય રૂપિયા આ વર્ષે ₹ ૯૫ને પાર કરી ગયો છે. ગમે ત્યારે ₹૧૦૦ એટલેકે સદી ફટકારશે. જેનાથી મોંઘવારી વધુ વધશે. ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી બનશે, સોથી મોટી અસર મધ્યાહન ભોજન, આંગણવાડી સહિત જાહેર અન્નક્ષેત્રો, વિદ્યાર્થીઓની હોસ્ટેલ, મેસ-કેન્ટીન સેવાઓ પર સીધી અસર શરુ થઇ ગઈ છે. દેશનો સામાન્ય-મધ્યમ વર્ગના લોનના હપ્તા, ટેક્ષ અને મોંઘવારીના બોજ નીચે ડાબી રહ્યા છે.
એર ટર્બાઈન ફયુલના ભાવમાં વધારો થવાથી હવાઈ મુસાફરી મોંઘી બનશે. ૯૦૦ થી વધુ જરૂરી તાવ, લીવર, કીડની, બ્લડ પ્રેસર, સુગર, એલર્જી, એનીમિયા સહિતના રોગો માટેની દવાઓના ભાવમાં પણ વધારો, સ્પષ્ટપણે દેશના નાગરિકો અને ખાસ કરીને વયોવુધ્ધ નાગરિકો સીધા ભોગ બનશે. કોરોનરી સ્ટેન્ડ જેવા ઉપકરણો પણ મોંઘા થશે.
સ્પીડ પોસ્ટ ચાર્જમાં ૩૪% વધારો ઝીંકવામાં આવ્યો છે. કોમર્શીયલ ગેસ ભાવવધારાના લીધે પ્લાસ્ટિક, સ્ટીલ, સિરામિક મોંઘા થશે, ખેડૂતો માટે PVC પાઈપ મોંઘા થશે, બિટુમેન ૫૦ ટકા સુધી મોંઘું જે સીધી અસર બાંધકામ પર થશે. ખાતરમાં પણ ભાવ વધારો થઇ રહ્યો છે. ખાતરની અછત શરુ થઇ ગઈ છે. સ્કુલ-કોલેજના પાઠ્યપુસ્તકોમાં પણ વધારો થવા જઈ રહ્યો છે. માર્બલ, બ્રાસ પાર્ટસ, સિરામિક સહિત ઘણા ઉદ્યોગોમાં મંદી, બંધ અને બેરોજગારીની સ્થિતિ જોવા મળી રહી છે. મજૂરો ફરી ગામડે પાછા જવા મજબૂર થઈ રહ્યા છે.
ભાજપ સરકારની આ નીતિ થી સામાન્ય જનતાને ભારે પડે છે. શું આ છે અચ્છે દીન ? વધતી મોંઘવારી અને ખર્ચ વચ્ચે સૌથી મોટો સવાલ શું આ આર્થિક પરિસ્થિતિનો જરૂરી ભાગ છે કે પછી સામાન્ય લોકો પર વધતો બોજ?

Related posts

સ્ટાઇલ આઇકન Hrithik Roshan બન્યા ONN બ્રાન્ડના એમ્બેસેડર, પ્રીમિયમ સેગમેન્ટ પર વધ્યો ફોકસ

viratgujarat

શ્રુતિ અગર્વાલ, સહ-સ્થાપક, સ્ટેશફિને બજેટ 2026–27ના આર્થિક સમાવેશ અને MSME આધારિત વિકાસ પર મજબૂત સમર્થન દર્શાવ્યું છે।

viratgujarat

સેમસંગ દ્વારા ભારતમાં બીસ્પોક AI એર કંડિશનર્સ પર ‘‘ગો સેવ ટુડે’’ કેમ્પેઈનની ઘોષણા

viratgujarat

Leave a Comment