Virat Gujarat
ગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

અક્ષય તૃતીયા નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા 30,000 લીટર કેસુડાનો શરબત અને 7,500 લીટર ગીરગાયની છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ, ગુજરાત | ૨૦ એપ્રિલ ૨૦૨૬ 19 એપ્રિલ 2026ના રોજ અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સત્પ્રેરણા ટ્રસ્ટ તથા શ્રી લીલાગૌધામ દ્વારા ‘અક્ષય ભારત કલશ અભિયાન’ અંતર્ગત ભવ્ય સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રેરણામૂર્તિ ભારતી શ્રીજીના માર્ગદર્શન હેઠળ અને ટ્રસ્ટના માર્ગદર્શન સાથે છેલ્લા 11 વર્ષથી ચાલી રહેલી આ પરંપરામાં આ વર્ષે સમગ્ર ગુજરાતમાં 30,000 લીટરથી વધુ કેસુડાનો શરબત તથા 7,500 લીટર ગીરગાયની શુદ્ધ છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાન હેઠળ અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં સ્ટોલ મુકવામાં આવ્યા છે. હંસપુરા સર્કલ (દેહગામ રોડ) ખાતે 19 થી 26 એપ્રિલ દરમિયાન દરરોજ 1000 લીટરથી વધુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવશે. મોટા ચિલોડા સર્કલ, પોલીસ ચોકી સામે 19 એપ્રિલે 5000 લીટરથી વધુ વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે ચાંદખેડા બસ સ્ટેન્ડ ખાતે 800 લીટર અને પથિક આશ્રમ, ગાંધીનગર ખાતે 700 લીટર છાશ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ સેવા કાર્ય ગુજરાતના અનેક શહેરોમાં વિસ્તર્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર, પાટણ, સિદ્ધપુર, રાજકોટ, ડભોઇ, સિનોર, રાજપીપળા, સુરેન્દ્રનગર, હળવદ, નવસારી, બારડોલી અને અલંગ સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.

ગુજરાત સિવાય દેશના વિવિધ શહેરોમાં પણ સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા સમાન સેવા કાર્ય યોજાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પુણે, મુંબઈ, નાસિક, ઠાણે અને ઔરંગાબાદ, રાજસ્થાનના ઉદયપુર, જયપુર, ડુંગરપુર, સાગવાડા, મધ્યપ્રદેશના ઇન્દોર અને ખરગોન ઉપરાંત હિમાચલ પ્રદેશના સોલન, પંજાબના લુધિયાણા, હરિયાણાના અંબાલા અને ગુરુગ્રામ, તેમજ નોઇડા, હૈદરાબાદ અને મહારાષ્ટ્ર ના ઉલ્હાસનગર જેવા શહેરોમાં પણ ભંડારા યોજાઈ રહ્યા છે. આ તમામ વિસ્તારોને મળીને અંદાજે 1.5 લાખ લીટરથી વધુ શરબત અને છાશનું વિતરણ કરવામાં આવશે.

સત્પ્રેરણા ટ્રસ્ટ દ્વારા આ અવસર પર સમાજને એક મહત્વપૂર્ણ સંદેશ પણ આપવામાં આવ્યો છે કે ઉનાળાની તીવ્ર ગરમી દરમિયાન દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં પાણીના મટકા મુકવા, પક્ષીઓ માટે પાણીના કુંડા બનાવવાની, ગાય અને અન્ય પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની તેમજ જરૂરિયાતમંદ લોકો માટે છાશ, શરબત અને પાણીનું વિતરણ કરવાની સેવાભાવના વિકસાવવી જોઈએ.

Related posts

બીએસઈ અને એનએસઈના મેઇનબોર્ડ પર સૂચિબદ્ધ થયું ઇન્સોલેશન એનર્જી લિમિટેડ (INA Solar)નું શેર

viratgujarat

દુબઈમાં આઉટડોર એડવેન્ચર્સ

viratgujarat

ગુજરાતીનાં મન-મોરને થીરકાવવા બગસરામાં ખૂલી રામકથાની ફૂલ-છાબ

viratgujarat

Leave a Comment