Virat Gujarat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

BNI અમદાવાદ દ્વારા 1 ઓગસ્ટે ઉદયપુરમાં ‘સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા’નું આયોજન

બિઝનેસ નેટવર્કિંગ, સહયોગ અને કોમ્યુનિટીના એન્યુઅલ સેલિબ્રેશનમાં આશરે 1,000 મેમ્બર્સ  ભાગ લેશે

અમદાવાદ, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | BNI અમદાવાદ 1 ઓગસ્ટના રોજ ઉદયપુર ખાતે તેના વાર્ષિક સિસિલિયન આઉટબાઉન્ડ ગાલાનું આયોજન કરશે, જેમાં આશરે 1,000 ઉદ્યોગસાહસિકો, વ્યવસાય માલિકો અને પ્રોફેશનલ્સ નેટવર્કિંગ, ઓળખ અને સેલિબ્રેશનની સાંજ માટે ભેગા થશે.

આ ગાલા BNI અમદાવાદના તેની ફ્લેગશિપ ઈવેન્ટ્સમાંની એક છે અને તેનો ઉદ્દેશ્ય મેમ્બર વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે, જે વીકલી ચેપ્ટર મીટિંગ્સ ઉપરાંત તેના રેફરલ-આધારિત બિઝનેસ મોડેલનો પાયો બનાવે છે.

ઈવેન્ટ દરમિયાન વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સભ્યોનું સન્માન કરવામાં આવશે. સાથે જ એન્ટરટેઇન્મેન્ટ અને બિઝનેસ નેટવર્કિંગના વિશેષ સેશન્સનું આયોજન કરવામાં આવશે, જે BNIની વિશ્વાસ, સહયોગ અને પરસ્પર વિકાસ પર આધારિત સંસ્કૃતિને વધુ મજબૂત બનાવશે.

આ ઈવેન્ટ વિશે BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “BNI અમદાવાદમાં અમે હંમેશા માનીએ છીએ કે અર્થપૂર્ણ વ્યવસાયની શરૂઆત અર્થપૂર્ણ સંબંધોથી થાય છે. રેફરલ્સ અમારી સંસ્થાનો પાયો છે, પરંતુ અમારી મજબૂત સમુદાય ભાવના જ આ રેફરલ્સને લાંબા ગાળાની વ્યવસાયિક તકોમાં પરિવર્તિત કરે છે. ‘સિસિલિયન આઉટબાઉન્ડ ગાલા’ અમારા મેમ્બર્સ માટે બિઝનેસથી આગળ વધીને એકબીજા સાથે જોડાવા, પરસ્પરની સિદ્ધિઓની ઉજવણી કરવા અને આવનારા વર્ષો સુધી મૂલ્ય સર્જતા સંબંધો નિર્માણ કરવાની એક ઉત્તમ તક છે.” 

છેલ્લા 13 વર્ષોમાં BNI અમદાવાદ 3,000થી વધુ ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રોના પ્રોફેશનલ્સના સશક્ત બિઝનેસ કોમ્યુનિટી તરીકે વિકસ્યું છે. આ સમયગાળા દરમિયાન BNI અમદાવાદના સભ્યોએ પરસ્પર રેફરલ્સ દ્વારા રૂ. 14,000 કરોડથી વધુના વ્યવસાયને સરળ બનાવ્યો છે, જે સંબંધ આધારિત બિઝનેસ નેટવર્કિંગની શક્તિ અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

પરંપરાગત બિઝનેસ નેટવર્કિંગ ઇવેન્ટ્સથી અલગ, આ ગાલા મેમ્બર્સને અનૌપચારિક અને હળવા માહોલમાં એકબીજા સાથે જોડાવાની તક આપે છે, જેના પરિણામે માત્ર વ્યવસાયિક જ નહીં પરંતુ વ્યક્તિગત સ્તરે પણ સંબંધો વધુ મજબૂત બને છે. BNI અમદાવાદનું માનવું છે કે આવા ગાઢ સંબંધો પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે, જે વધુ સારા સહયોગ અને લાંબા ગાળાના વ્યવસાયિક વિકાસ માટે મજબૂત પાયો પૂરું પાડે છે.

આ કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગો અને વ્યવસાય ક્ષેત્રોના મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે, જેના કારણે તે BNI અમદાવાદ કોમ્યુનિટીના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત વાર્ષિક સમારોહોમાંનો એક બનશે.

== સમાપ્ત ==

Related posts

સાધુનાં ગુણોને સાધુ બનીને જ ગાઈ શકાય છે.

viratgujarat

હનુમાન કોટેશ્વર છે,કોટેશ્વર હનુમાન છે.

viratgujarat

દેશમાં એક સદભાવ પીઠની જરૂર છે, જેને ન કોઈ વેર, ન કોઈ વિગ્રહ, ન કોઈ વિરોધ હોય

viratgujarat

Leave a Comment