Virat Gujarat
હેલ્થકેર

લીલાવતી હોસ્પિટલ ગુજરાતમાં શ્રેષ્ઠ ગુણવત્તાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે

મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ, જે પોતાના ૪૮ વર્ષના ક્લિનિકલ અનુભવ સાથે ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ૩૦૦ બેડની મલ્ટી-સ્પેશિયાલિટી તૃતીયક આરોગ્ય સેવા દ્વારા સ્વાસ્થ્ય અને સુખાકારીને કેન્દ્રમાં રાખીને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. લોન્ચ પૂર્વે યોજાયેલા પૂજન સમારોહમાં પ્રતિષ્ઠિત મહેમાનો, આરોગ્ય ક્ષેત્રના આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર–અમદાવાદમાં  આ વિસ્તરણ થકી, હોસ્પિટલનો હેતુ લોકોને વિસ્તારમાં વધુ સારી અને અદ્યતન આરોગ્ય સેવાઓ આપવાનો છે.

 

આ નવી સુવિધા ભારતના પ્રથમ કાર્યરત સ્માર્ટ ફાઇનાન્શિયલ હબ ગિફ્ટ સિટીમાં રહેતા અને કામ કરતા લોકોની સેવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. લીલાવતી હોસ્પિટલ નજીકના વિસ્તારમાં ઉચ્ચ ગુણવત્તાની અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ વિશેષતા ધરાવતી મલ્ટી-સ્પેશિયાલિટી તૃતીયક આરોગ્ય સેવાઓ પ્રદાન કરશે.

 

પ્રિ-ઓપનિંગ પ્રવૃત્તિઓના ભાગરૂપે લીલાવતી હોસ્પિટલ દ્વારા નજીકના વિસ્તારોના જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મૂળભૂત આરોગ્ય ચકાસણી અને ડોક્ટર સલાહ સેવા આપવામાં આવી હતી, જેમાં રોગોની વહેલી ઓળખ અને રોગ નિવારણ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ પહેલ હોસ્પિટલની ક્લિનિકલ કામગીરી શરૂ થાય તે પહેલાં જ સમુદાયના આરોગ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

શ્રી પ્રશાંત મહેતા, સ્થાયી ટ્રસ્ટી, લીલાવતી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર તથા ડિરેક્ટર, લીલાવતી ફાઉન્ડેશન, એ જણાવ્યું હતું કે, “અમે હંમેશા માનતા રહ્યા છીએ કે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા પ્રથમ દિવસથી જ ઉપલબ્ધ હોવી જોઈએ. ગુજરાતમાં અમારી યાત્રાની શરૂઆત નિઃશુલ્ક મેડિકલ કેમ્પથી કરવી એ સમુદાય સેવા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગિફ્ટ સિટી સુવિધા સાથે અમે આ વિસ્તારમાં વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસેવા નજીક લાવવા માટે પ્રયત્નશીલ છીએ.”

 

પૂર્વ-ઓપનિંગ સમારોહ અને આઉટરીચ પ્રવૃત્તિઓ લીલાવતી હોસ્પિટલની માર્ગદર્શક ફિલોસોફીનું પ્રતિબિંબ છે—જ્યારે સારવાર શરૂ થાય છે ત્યારે જ જીવન જીતે છે. ચાર દાયકાથી વધુના અનુભવથી સમૃદ્ધ લીલાવતી હોસ્પિટલનું ગુજરાતમાં વિસ્તરણ રાજ્યભરમાં તૃતીયક આરોગ્ય સેવાઓની પહોંચને વધુ મજબૂત બનાવશે, ખાસ કરીને ઝડપી વિકાસ પામતા ગિફ્ટ સિટી કોરિડોરમાં.

Related posts

સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં “કેન્સરમાં આશાનું કિરણ” પુસ્તકનું વિમોચન કરાયું

viratgujarat

એયુ જયપુર મેરેથોન 2026નું ભવ્ય પોસ્ટર લંડનના હાઉસ ઓફ કોમન્સ ખાતે લોન્ચ કરવામાં આવ્યું

viratgujarat

“આયુર્વેદિક મહોત્સવ” માં લોકોએ આયુર્વેદના જ્ઞાન અને કુદરતી જીવનશૈલી અપનાવી

viratgujarat

Leave a Comment