Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

કોલકાતા અને અન્ય વિવિધ સ્થળોએ માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | 25 સપ્ટેમ્બર 2025: કોલકાતા શહેરમાં ૧૯૭૬ પછી ગઈકાલે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૬૦ મીમી વરસાદ નોંધાયો છે જેને કારણે સમગ્ર શહેર સરોવરમાંફેરવાયું હતું. અતિ ભારે વરસાદને પગલે ચોવીસ પરગણા અને શહેરના માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ વરસાદ થયો તેને કારણે ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએમરુતકોનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તત્કાલ સહાય સ્વરુપે ૧,૫૦,૦૦૦ ની રાશિ અર્પણ કરી છે જે ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

આ સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો હતો અને તે દરમિયાન મળતી માહિતી મુજબ ૮ લોકોનાં મોત નિપજયા છે. જેમનાંપરિવારજનોને ૧,૨૦,૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત થોડા દિવસ પહેલાં પાલઘર વિસ્તારમાં એક મકાન ધરાશયી થઈ જતાં ૨૧ લોકોનાં મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ લોકોને પણ શ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૧૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડી દેવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

Related posts

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

viratgujarat

વિસ્તારાની ફ્લાઈટમાં ખામી, હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ: તેમાં સવાર કોંગ્રેસના સાંસદે કહ્યું- અડધો કલાક ખૂબ જ તણાવપૂર્ણ રહ્યો

admin

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL) દ્વારા એન્થે ના 16 વૈભવી વર્ષોની ઉજવણી સાથે એન્થે 2025 લોન્ચ

viratgujarat

Leave a Comment