અમદાવાદ: શ્રી *સંકટમોચન મહાવીર હનુમાન મંદિર માં રામ નવમી પર્વની ધુમધામથી ઉજવણી કરવામાં આવી. ભક્તો દ્વારા રામ નામ કીર્તન અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તોએ હનુમાન ચાલીસાનો જાપ પણ કર્યો. દરેક માટે ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું,
મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણ ગાર્ગે જણાવ્યું કે, ઉત્સવમાં ભેગા થયેલા ભક્તોના પ્રતિસાદથી તેઓ અત્યંત ગદગદ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, મંદિર આગામી સમયમાં બધા મહત્વના તહેવારોની ઉજવણી કરતું રહેશે. તેઓ દરેકને દર રવિવારે સાંજે 5:30 વાગ્યે મંદિરમાં થતા સુન્દરકાંડ પાઠમાં હાજર રહેવા આમંત્રણ આપે છે.
