Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા સહાય

ભોગ બનનારને શ્રધ્ધાંજલિ સાથે જે તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ

તલગાજરડા, ગુજરાત | ૦૧ જૂન ૨૦૨૬ | દેશમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ સાથે રૂપિયા ૪ લાખ સંવેદના સહાય અર્પણ થઈ છે.

છેલ્લાં પખવાડિયા દરમિયાન દેશમાં ઘણાં ભાગોમાં વાવાઝોડાની સ્થિતિમાં વરસાદ સાથે પૂર તેમજ વીજળી પડવાથી દુર્ઘટનાઓ સર્જાઈ છે, જેમાં ઘણાં મરણ થવા પામેલ છે. ભોગ બનનારના વારસદાર માટે શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા રૂપિયા ૪ લાખ સહાય અર્પણ થઈ છે.

આ દિવસોમાં ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ તથા બિહાર ક્ષેત્રોમાં સર્જાયેલ પ્રાકૃતિક આપદામાં જીવ ગુમાવનારાઓને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે. આ સાથે ઉત્તરપ્રદેશમાં રૂપિયા ૨ લાખ, પશ્ચિમ બંગાળમાં રૂપિયા ૧ લાખ અને બિહારમાં રૂપિયા ૧ લાખ સંવેદના સહાયનો સમાવેશ થાય છે. આ રકમ જે તે રાજ્યમાં મુખ્યમંત્રી રાહત ભંડોળમાં મોકલવામાં આવી છે.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સ દ્વારા Rs. 5.52 લાખ*માં એસ ગોલ્ડ+ ડીઝલ મિની- ટ્રક લોન્ચ કરાયા

viratgujarat

CUTS ઇન્ટરનેશનલ રિપોર્ટમાં આજીવિકા, સલામતી અને સસ્તું શહેરી ગતિશીલતાનું રક્ષણ કરવા માટે સુમેળભર્યા બાઇક ટેક્સી નિયમન માટે હાકલ કરવામાં આવી છે

viratgujarat

ગોબલજ ગામે ગાય માતાની ગૌચર જમીનને ગેરકાનૂની રીતે વેચી દેતા ગ્રામજનો અને ભૂમાફિયાઓ ઘર્ષણ, ગૌભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી

viratgujarat

Leave a Comment