કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓને પુરતું માર્ગદર્શન મળે અને તેમની કારકિર્દી ઉજ્જવળ બને તે માટે સતત ૨૧માં વર્ષે કોંગ્રેસ પક્ષના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી સંપાદિત “કારકિર્દીનાં ઉંબરે” ધોરણ ૧૨ પછી શું? પુસ્તકનું અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને સાંસદશ્રી મુકુલ વાસનીકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલ સહિત વરિષ્ઠ મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.
કારકિર્દી માર્ગદર્શન પુસ્તક ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.
https://www.careerpath.info/ebook/Karkirdi_Na_Umbare.pdf
https://www.incgujarat.com/wp-content/uploads/2026/05/karkirdi-na-umbre.pdf
