Virat Gujarat
અવેરનેસગુજરાતજીવનશૈલીધાર્મિકરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.

Related posts

રેડમી A5 ભારતમાં લોન્ચ:પાવર અને ઇનોવેશન સાથે એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનને પુનઃવ્યાખ્યાયિત કર્યા

viratgujarat

એમેઝોન ફેશન દ્વારા 6 થી 11 ડિસેમ્બર સુધી ‘વૉર્ડરોબ રિફ્રેશ સેલ’ની 15મી આવૃત્તિનો પ્રારંભ: વિન્ટર સ્ટાઇલનો ધમાકેદાર પ્રારંભ

viratgujarat

સાધુ સંતો પાસે બેસવાનું ન મળે તો ગ્રંથની પાસે બેસો.

viratgujarat

Leave a Comment