Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

એ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. 

====+++====

Related posts

તેલંગાણા 72 મી મિસ વર્લ્ડ સ્પર્ધા 2025ની યજમાની કરશે, જે વિશ્વભરમાં ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સુંદરતાને પ્રદર્શિત કરશે

viratgujarat

ક્રાઉસ જીન્સે વડોદરા, ભારતમાં તેનો 10મો સ્ટોર શરૂ કર્યો

viratgujarat

જયપુરથી નાગપુર સુધી, સેમસંગ સોલ્વ ફોર ટુમોરો રાષ્ટ્રને પ્રોબ્લેમ- સોલ્વર્સનું રાષ્ટ્ર પ્રજ્જવલિત કરે છે

viratgujarat

Leave a Comment