Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

હિમાચલ પ્રદેશ અને સૌરાષ્ટ્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૧૦ જાન્યુઆરી ૨૦૨૬ — ગઈકાલે હિમાચલ પ્રદેશમાં એક બસ દુર્ધટનામાં ૧૪ લોકોનાં મોત નિપજયા છે તેવા દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. વધુ વિગતો અનુસાર હિમાચલ પ્રદેશના સિરમૌર જીલ્લાના હરિપુરધાર વિસ્તારમાં એક ખાનગી બસ ખાઈમાં પડતાં ૧૪ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૧૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પ્રધાનમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવી છે.

એ સિવાય છેલ્લા કેટલાક દિવસો દરમિયાન તાલાલા પંથકમાં ત્રણ લોકોના અકસ્માતમાં મોત નિપજયા હતા અને જામનગરના લાલપુરમાં પણ ત્રણ લોકોનાં મોત થયા હતા તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૯૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે. 

====+++====

Related posts

રિવોલ્ટ મોટર્સે તેની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રિક બાઇક RVX લોન્ચ કરી, જેની પ્રારંભિક કિંમત ₹1.24 લાખ છે.

viratgujarat

સાયબલ અને દ્રોણા દ્વારા HNIs, સેલિબ્રિટીઝ, રાજકીય નેતાઓ અને જાહેર ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને ડિજિટલ જોખમોથી સુરક્ષિત રાખવા માટે વ્યૂહાત્મક સાયબર ડિફેન્સ ભાગીદારીની જાહેરાત

viratgujarat

અમદાવાદના 76% પ્રોફેશનલ્સ માને છે કે માનવીય સમજણનો કોઈ વિકલ્પ નથી, ભલે એઆઈ વધુ અદ્યતન બનતું જાય: લિંકડીન

viratgujarat

Leave a Comment