Virat Gujarat
અવેરનેસ

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે વિતાવી યાદગાર ક્ષણો

ગાંધીનગર, 1 જુલાઈ, 2026: સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ખાતે જાણીતી બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ભારતીય ફિલ્મ જગતની અગ્રણી અભિનેત્રી સાથે સીધો સંવાદ કરવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ આલિયા ભટ્ટને તેમની કારકિર્દી, સફળતા, જીવનપ્રવાસ અને પ્રેરણાને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આલિયાએ ખૂબ જ આત્મીયતા અને સરળતાથી તમામ પ્રશ્નોના જવાબ આપતા વિદ્યાર્થીઓને મોટા સપનાઓ જોવાની, પડકારોને આત્મવિશ્વાસ સાથે સ્વીકારવાની તેમજ સતત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસ દ્વારા પોતાના લક્ષ્યો હાંસલ કરવાની પ્રેરણા આપી હતી.

કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવવા માટે આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓ સાથે ડગઆઉટ ગેમ પણ રમી હતી, જેના કારણે સમગ્ર ઓડિટોરિયમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઊર્જાસભર નૃત્ય રજૂઆતો કરીને પોતાની પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું પ્રદર્શન કર્યું હતું. આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓના પરફોર્મન્સની પ્રશંસા કરી હતી અને તેમની ઊર્જા, ઉત્સાહ તથા પ્રતિભાને બિરદાવી હતી.

આ પ્રસંગે આલિયા ભટ્ટે પોતાની આગામી ફિલ્મ “આલ્ફા (Alpha)” વિશે પણ ટૂંકી માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને થિયેટરમાં જઈને ફિલ્મ નિહાળવા આમંત્રણ આપ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કરતાં આલિયા ભટ્ટે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, સકારાત્મક અભિગમ અને ઉત્સાહની પ્રશંસા કરી હતી. તેમણે યુનિવર્સિટીના જીવંત શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીને પણ બિરદાવી હતી.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી સતત વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ સાથે જોડાવાની તક પૂરી પાડે છે, જેથી તેઓ શિક્ષણની સાથે વાસ્તવિક જીવનના અનુભવો મેળવી શકે, પોતાના દૃષ્ટિકોણને વિસ્તારી શકે અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યના પડકારોનો સામનો કરવા સક્ષમ બની શકે.

નવીનતા, ઉદ્યોગસાહસિકતા, અનુભવ આધારિત શિક્ષણ અને સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખતી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ભવિષ્યના સક્ષમ, સર્જનાત્મક અને જવાબદાર નેતાઓ ઘડવા માટે પ્રતિબદ્ધ છે. આવી પ્રેરણાદાયી મુલાકાતો વિદ્યાર્થીઓ માટે માત્ર યાદગાર અનુભવ જ નહીં, પરંતુ તેમના વ્યક્તિત્વ વિકાસ અને ભવિષ્ય નિર્માણ માટે પ્રેરણાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ બની રહી છે.

Related posts

અમદાવાદમાં એઆઈ અને આઈપીઆર પર માર્કપેટન્ટ.org દ્વારા બૌદ્ધિક સંપદા પર 19મો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજવામાં આવ્યો.

viratgujarat

પારસ, પરિમલ અને ઈલાઈટ સ્કૂલે એન્યુઅલ ડે સેલિબ્રેટ કર્યો

viratgujarat

EDII દ્વારા પ્રોજેક્ટ ઉદયા : ઉદ્યોગસાહસિકતાના સપનાને કરી રહી છે સાકાર

viratgujarat

Leave a Comment