ઇફકોનામાધ્યમથીખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે સકારાત્મક ચર્ચા થઈ : શ્રી દિલીપસંઘાણી
ખેડૂત હિતને પ્રાથમિકતા આપતાં માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ તાત્કાલિક નિર્ણય લઈ સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી : દિલીપસંઘાણી
ભારતીય સહકારિતા તરફથી માનનીય શ્રી જે. પી. નડ્ડાજીનો હાર્દિક આભાર : દિલીપસંઘાણી
ઇફકોનામાધ્યમથીદેશભરના ખેડૂતો સાથે સંકળાયેલા ખાતરોનીઉપલબ્ધતા, વિતરણ વ્યવસ્થા, ખર્ચ અને વ્યવહારુ સમસ્યાઓ માનનીય મંત્રીશ્રીના ધ્યાનમાં લાવવામાં આવી। આ મુદ્દાઓ પર વિગતવાર સકારાત્મક ચર્ચા થઈ અને ઉકેલલક્ષી અભિગમ સાથે ઝડપી કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપવામાં આવ્યો।
મુલાકાત દરમિયાન ખેડૂત હિતોને સર્વોપરી રાખતાં માનનીય શ્રી જે. પી. નડ્ડાજીએ ખાતર ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણયો લઈને સંબંધિત વિભાગોને સ્પષ્ટ અને અસરકારક સૂચનાઓ આપી। આ નિર્ણય કેન્દ્ર સરકારની ખેડૂત-સમર્પિત નીતિ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના “ખેડૂત પ્રથમ” સંકલ્પનું સશક્ત ઉદાહરણ છે તેમ મુલાકાત ના અંતે શ્રી દિલીપસંઘાણી એ જણાવ્યું.
ખેડૂત કલ્યાણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા માનનીય શ્રી જે. પી. નડ્ડાજીનીસંવેદનશીલતા, તત્પરતા અને નિર્ણાયક નેતૃત્વ પ્રશંસનીય છે। ભારતીય સહકારિતા આંદોલનની તરફથી ઇફકોના અધ્યક્ષ શ્રી દિલીપસંઘાણીજીએખેડૂતોના હિતમાં સતત સહયોગ, સ્પષ્ટ દિશા અને સકારાત્મક પહેલ માટે માનનીય મંત્રી શ્રી જે. પી. નડ્ડાજીનો હાર્દિક આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કર્યો. બેઠક માં ઇફકો ના MD શ્રી કે જે પટેલ પણ ઉપસ્થિત રહ્યા.
