Virat Gujarat
બિઝનેસ

અદાણી ગ્રુપની લિક્વિડિટી અને નાણાકીય શિસ્ત પર મજબૂત વિશ્વાસ

રાષ્ટ્ર નિર્માણ અને પરિવર્તનશીલ વિકાસ પ્રત્યે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવતા રેટિંગ્સ

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ રેટિંગ્સે અદાણી જૂથની ત્રણ મુખ્ય કંપનીઓ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ-વન લિમિટેડ (ATSOL) અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ (AEML)—ની આઉટલુકને Baa3/સ્ટેબલ સુધી અપગ્રેડ કરી છે. આ નિર્ણય આગામી 12–18 મહિનામાં ગ્રુપની મજબૂત લિક્વિડિટી અને રોકાણ-ગ્રેડ Baa3 રેટિંગને અનુરૂપ ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખવાની ક્ષમતામાં મૂડીઝનો વિશ્વાસ દર્શાવે છે.

મૂડીઝના આ મૂલ્યાંકન અદાણી જૂથની રાષ્ટ્ર નિર્માણ, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ભારતનાં પરિવર્તનમાં યોગદાન આપવા માટેની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કરે છે. મૂડીઝે જણાવ્યું કે ATSOL અને AEML આગામી 12-18 મહિનામાં લિક્વિડિટી અને રોકાણ ગ્રેડ રેટિંગને ટેકો આપતી ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખશે. મૂડીઝે ATSOL અને AEML બંને માટે Baa3 સિનિયર સિક્યોર્ડ રેટિંગ્સને સમર્થન આપતા AEML (P)Baa3 સિનિયર સિક્યોર્ડ મીડિયમ-ટર્મ નોટ પ્રોગ્રામને પણ સમર્થન આપ્યું છે.

ATSOL ના રેટિંગની પુષ્ટિ તેની પેરેન્ટ કંપની, અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) સાથેના મજબૂત ક્રેડિટ પર આધારભૂત છે. કંપનીઓના બોન્ડ્સ પર ગેરંટી અને AESL ના ક્રેડિટ પ્રોફાઇલ સાથે જોડાયેલી ડિફોલ્ટ જોગવાઈઓ પણ તેમાં શામેલ છે. મૂડીઝે સ્થિર ઓપરેટિંગ કામગીરી પ્રદાન કરવામાં AESL ના નિયમનકારી ટ્રાન્સમિશન અને વિતરણ સંપત્તિના વૈવિધ્યસભર પોર્ટફોલિયોને મુખ્ય પરિબળ તરીકે પ્રકાશિત કર્યો છે.

આગામી બે વર્ષમાં નોંધપાત્ર મૂડી ખર્ચની અપેક્ષા હોવા છતાં મૂડીઝે ક્રેડિટ મેટ્રિક્સને જાળવતી પ્રક્રિયા અમલમાં મૂકવાની AESL ની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ અપગ્રેડ ગ્રુપની લિક્વિડિટી, નાણાકીય શિસ્ત અને રોકાણ-ગ્રેડ ક્રેડિટ પ્રોફાઇલને ટકાવી રાખવાની ક્ષમતામાં વિશ્વાસને પુન:પુષ્ટિ આપે છે.

મૂડીઝે અદાણી પોર્ટ્સને ધ્યાનમાં રાખતા જણાવ્યું છે કે, APSEZ એક મજબૂત લિક્વિડિટી સ્થિતિ અને તેના Baa3 રેટિંગ સાથે સંરેખિત ક્રેડિટ પ્રોફાઇલ જાળવી રાખશે તેવો અંદાજ છે. મજબૂત નાણાકીય સ્થિતિ, વિવેકપૂર્ણ અભિગમ અને ભંડોળ સ્ત્રોતો દ્વારા APSEZ ના મૂલ્યાંકનને મજબૂત બનાવવામાં આવ્યું છે.

મૂડીઝે આગાહી કરી છે કે AEML નો પ્રી-વર્કિંગ કેપિટલથી દેવા સુધીના રોકડ પ્રવાહનો ગુણોત્તર આગામી એક થી બે વર્ષમાં 10.5% થી 11.5% ની રેન્જમાં રહેશે, જે તેનું મજબૂત પ્રદર્શનને દર્શાવે છે. એકંદરે, અપગ્રેડેડ આઉટલુક અદાણી જૂથના નાણાકીય વ્યવસ્થાપન અને કાર્યકારી સ્થિતિસ્થાપકતામાં વિશ્વાસમાં વધારો દર્શાવે છે.

Related posts

સર્વત્ર ગ્રૂપે સાત લેન્ડમાર્ક પ્રોજેક્ટ્સ રજૂ કરીને રોકાણકારો અને ઘર ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું

viratgujarat

રે-બન મેટા ગ્લાસિસનો ભારતમાં પ્રવેશ: મેટા AI ઇન્ટીગ્રેટેડ સાથે અને અસંખ્ય સ્ટાઇલની મલ્ટીપલ સ્ટાઇલ ઓફર સાથે ભવિષ્યનો અનુભવ કરો

viratgujarat

છોટાઉદેપુરમાં “દૌડ” નામની ટ્રાઈબલ મેરેથોનમાં 15 હજારથી પણ વધુ લોકો જોડાયા

viratgujarat

Leave a Comment