Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે: અમદાવાદઅનેભાવનગરની મુલાકાત લેશે

માનનીય કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા આગામી ૪જૂનથી ૬ જૂન ૨૦૨૬ દરમિયાન ગુજરાતના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન મંત્રીશ્રી અમદાવાદઅનેભાવનગર ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

મંત્રીશ્રી તેમના પ્રવાસના પ્રથમ દિવસે, ૪ જૂનના રોજ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદના એકા એરેના (Eka Arena) ક્લબખાતે પ્રથમ વખતઆયોજિત થનારવર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ ૨૦૨૬ના ભવ્ય શુભારંભ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે.

ત્યારબાદ ૫ જૂનના રોજ ડૉ. માંડવિયા ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ભાવનગર શહેર મહાનગર કાર્યાલય ખાતે અગત્યની બેઠક કરશે. આ જ દિવસે મંત્રીશ્રી પાલીતાણાના હણોલ ખાતે આયોજિત ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓના સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે અને રાત્રિના સમયે હણોલ ગ્રામ વિકાસ સમિતિની બેઠકમાં પણ ભાગ લેશે.

પ્રવાસના અંતિમ દિવસે, ૬ઠ્ઠી જૂનના રોજ મંત્રીશ્રી ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે, જેમાં વાળુકડ હોસ્પિટલ અને સંસ્થાની મુલાકાત તેમજ પાલીતાણા નગરપાલિકા ખાતેની મુલાકાતનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ મોટી પાણીયાળી સંસ્થા અને શેત્રુંજય ડેમ સંસ્થાની મુલાકાત પણ લેશે. મંત્રીશ્રી વાણીયાવીડી ખાતે ઠાકરદુવારોના દર્શન કર્યા બાદ જુનાપાદર મુકામે આયોજિત મોડેલ સ્કૂલ-જેસરનું ખાતમુહૂર્તકરશે.

મીડિયા કીટ:https://MansukhMandaviya.in/media-kit/

Related posts

મંત્રા ઈવેન્ટ્સ દ્વારા અમદાવાદમાં ‘પિચકારી સ્પ્લેશ’ હોળી પાર્ટીનું આયોજન : બરસાનાની પરંપરા અને આધુનિક મ્યુઝિકનો અનોખો સંગમ

viratgujarat

‘સોમનાથ સ્વાભિમાન પર્વ-2026’નો મુખ્ય ઉદ્દેશ સનાતન ધર્મની અખંડ આસ્થા, સહનશીલતા અને શક્તિને નવી પેઢી સુધી પહોંચાડવાનો તેમજ સોમનાથ મંદિરના રક્ષણ માટે ત્યાગ-તપશ્ચર્યા અને બલિદાન આપનારાઓનું સ્મરણ કરવાનો છે.

viratgujarat

ડાયટ અને કસરત દ્વારા ઓટિઝમના 80 ટકા કેસ સારા થઇ શકે છેઃ નિષ્ણાતો

viratgujarat

Leave a Comment