Virat Gujarat
ધાર્મિક

શ્રી સંકટ મોચન મહાવીર નીબ કરૌરી બાબા મંદિર, રાંચરડા, અમદાવાદ નો દ્વિતીય પાટોત્સવ સમારોહ ૨૩ ઓગસ્ટ, રવિવાર ના દિવસે મનાવવા માં આવશે.

નીબ કરૌરી બાબા ના આશીર્વાદ થી ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ ના રોજ આ મંદિર ની ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવા માં આવી હતી. આ ભારત નું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી અવસ્થા માં છે. મંદિર ના સંસ્થાપક ડો. પ્રવિણ ગર્ગ ના જણાવ્યા મુજબ ૨૩ તારીખ રવિવાર ના રોજ વિવિધ પ્રોગ્રામો યોજાશે.

૩:૩૦ સાંજે: હવન

૫:૩૦ સાંજે: સુંદરકાંડ પાઠ

૭:૧૫ સાંજે: રામ નામ કિર્તન

૭:૩૦ સાંજે: મહા આરતી અને ભંડારો

આ મંદિર ધીમે ધીમે લોકો ની શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસ નું કેન્દ્ર બની રહ્યું છે.

આ મંદિર માં સેવા કાર્ય માં ૩ રામ રોટી સેવા રથ દ્વારા નિયમ થી ૫૦૦ જરૂરતમંદ લોકો નો ભોજન પ્રસાદ વિતરણ થાય છે. તથા મંદિર માં દર રવિવારે સુંદરકાંડ પાઠ નું આયોજન કરવા માં આવે છે.

Related posts

વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

viratgujarat

ગુજરાતમાં 7 મે ‘ગૌ સમ્માન દિવસ’: 268 તાલુકાઓમાં પ્રાર્થના પત્ર અભિયાન, કેન્દ્રીય કાનૂનની ઉઠી માંગ

viratgujarat

અયોધ્યાની સાથે જ રાયસણના શ્રી રામજી મંદિરના દ્વિતિય પાટોત્સવની ભવ્યતાથી ઉજવણી થશે

viratgujarat

Leave a Comment