Virat Gujarat
Uncategorized

વિશાખાપટ્ટનમથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579નું સુરક્ષિત ઉતરાણ

“૨૮ માર્ચ ૨૦૨૬ના રોજ વિશાખાપટ્ટનમથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 579 ના લેન્ડિંગના થોડા સમય પહેલા એક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. સાવચેતીના પગલા રૂપે અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (SOP) મુજબ, પાઈલટોએ પ્રાયોરિટી લેન્ડિંગ (અગ્રતાના આધારે ઉતરાણ) માટે વિનંતી કરી હતી.

ત્યારબાદ વિમાન દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કરી ચૂક્યું છે. આ ઘટના અંગે તમામ સંબંધિત સત્તાવાળાઓને તત્કાલ જાણ કરવામાં આવી હતી અને હાલમાં વિમાન જરૂરી તપાસ અને જાળવણી (મેઈન્ટેનન્સ) હેઠળ છે.

ઈન્ડિગો માટે અમારા ગ્રાહકો અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.” – ઈન્ડિગો પ્રવક્તા

Related posts

ફ્રેક્ટલ એનાલિટિક્સ લિમિટેડનો આઈપીઓ સોમવાર, 09 ફેબ્રુઆરી, 2026ના રોજ ખુલશે

viratgujarat

એસ્ટ્રો ગુરુ દીપક જૈન દ્વારા ઇન્દોર ખાતે ભવ્ય નિઃશુલ્ક જ્યોતિષ માર્ગદર્શન – ગુજરાત બહારનો પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમ

viratgujarat

વર્ણો સ્થૂળ છે,પણ સાધુ એનું સૂક્ષ્મ રૂપ છે.

viratgujarat

Leave a Comment