Virat Gujarat
બિઝનેસ

GCCI દ્વારા ‘GATE 2026’ ની જાહેરાત: ‘વિઝન ૨૦૪૭’ ના લક્ષ્યાંકો સાથે ગુજરાતના વ્યાપારી લેન્ડસ્કેપનું વૈશ્વિકીકરણ

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) અત્યંત ઉત્સાહ સાથે તેની પ્રતિષ્ઠિત વાર્ષિક ટ્રેડ એક્સ્પો — GATE 2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) ની જાહેરાત કરે છે. આ ભવ્ય પ્રદર્શન ૧૬ થી ૧૮ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન સવારે ૧૦:૦૦ વાગ્યાથી હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે યોજાશે.

GATE 2025 ની અભૂતપૂર્વ સફળતા બાદ નવું સોપાન

GATE 2026 નું આયોજન ૨૦૨૫ ના એડિશનની નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેણે આ પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ માટે એક મજબૂત પાયો નાખ્યો હતો. GATE 2025 નું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અને પ્રત્યક્ષ ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ૩૦૦ થી વધુ પ્રદર્શકો અને ૧૬,૦૦૦ થી વધુ ઉચ્ચ સ્તરીય બિઝનેસ મુલાકાતીઓ સહભાગી થયા હતા.

ગયા વર્ષનું એડિશન MSMEs અને સ્ટાર્ટઅપ્સ માટે ઉત્તમ પ્લેટફોર્મ સાબિત થયું હતું, જેના દ્વારા અનેક B2B જોડાણો અને નવીન સંશોધનો પ્રદર્શિત થયા હતા. GATE 2026 તે જ પરંપરાને વધુ ઉંચાઈ પર લઈ જવા માટે સજ્જ છે.

‘વિઝન ૨૦૪૭’ સાથે સંલગ્ન આયોજન

ગુજરાતનું વિઝન – વૈશ્વિક મહત્વકાંક્ષા" (Gujarat’s Vision – Global Ambition) ની થીમ પર આધારિત GATE 2026 વ્યૂહાત્મક રીતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના "વિઝન ૨૦૪૭ ને સમર્થન આપવા માટે તૈયાર કરાયું છે. આ રોડમેપ ભારતની સ્વતંત્રતાના શતાબ્દી વર્ષ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ એક્સ્પો ગુજરાતને ટકાઉક્ષમતા (Sustainability), નવીનતા (Innovation) અને આર્થિક સ્થિતિસ્થાપકતાના કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્ઘાટન

GATE 2026 નું ભવ્ય ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુરુવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ક્રેડાઈ (CREDAI) નેશનલના પ્રેસિડેન્ટ શ્રી શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે.

મુખ્ય હાઈ-ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદો
GATE 2026 અંતર્ગત વૈશ્વિક ઉદ્યોગ જગતના ભવિષ્ય પર કેન્દ્રિત શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સત્રો યોજાશે:
 CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.
 મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા
નેતૃત્વ પર માર્ગદર્શન.
 સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.
 AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું
ભવિષ્ય.
 સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.
 સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ.
વધુમાં, જાણીતી હસ્તીઓ સાથે વિશેષ ‘ફાયરસાઈડ ચેટ્સ’ પણ યોજાશે:
 ૧૭ એપ્રિલ: સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ.
 ૧૮ એપ્રિલ: જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર શ્રી રાકેશ બેદી દ્વારા કલા અને
પ્રોત્સાહન અંગે માર્ગદર્શન.

Related posts

Jio-bp લોન્ચ કરે છે એન્જિન ક્લિનીંગ એક્ટિવ ટેકનોલોજી કોઈ વધારાના ખર્ચ વિના 100 કિમી સુધીની વાર્ષિક વધારાની ડ્રાઈવ આપતું પેટ્રોલ

viratgujarat

એમેઝોન પે દ્વારા ઉપલબ્ધ એક્સક્લુઝીવ ડીલ્સ અને રિવોર્ડ્સની મદદથી આખરે ઉનાળાથી બચવાનો તમારો પ્લાન બનાવો!

viratgujarat

ટાટા મોટર્સે કોલકાતામાં એડવાન્સ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું

viratgujarat

Leave a Comment