Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

છેલ્લા ૧૦ વર્ષમાં ૭૩ જેટલા સફાઈકર્મીઓના મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે.: ડૉ.હિરેન બેન્કર

સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ, મેન્યુઅલ સ્કેવેન્જિંગમાં મૃતકો-શ્રમિકો-કામદારો પ્રત્યે અસંવેદનશીલતા, ઈચ્છાશક્તિના અભાવ અને નિષ્ઠુરતા અંગે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેન્કર જણાવ્યું હતું કે સુરતના ખાંડ બજાર પાસે રતી હાઉસનાં ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા ૪ સફાઈ કર્મીઓનાં ગૂંગળાઇ જવાથી કરુણ મોતની ઘટના અત્યંત ગંભીર બાબત છે. સફાઈ-સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાની જાહેરાતો કરતી ભાજપ સરકારના રાજમાં ગટર સફાઈમાં શ્રમિકો મોતને ભેટી રહ્યા છે. મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી,ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાની કામગીરી ગુજરાતમાં હજુ પણ યથાવત છે. આધુનિકતાની વાહવાહી કરતી ભાજપ સરકાર આટ-આટલા મોત થયા છતાં કેમ સફાઈ માટે સુરક્ષાના પૂરતા સાધનની વ્યવસ્થા કરતી નથી?. ગુજરાતમાં સુરત, અમદાવાદ, કલોલ- મહેસાણા, બરોડા સહિતના મહાનગરોમાં પણ આ ઘટનો બની છે. આ ઘટનાઓ ગ્રામીણ વિસ્તારની સાથે શહેરી અને સરકારી સંસ્થાઓમાં પણ બની છે. ભાવનગરમાં આવેલી ‘સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રીસર્ચ ઇન્સ્ટીટયુટ’માં ગટર સફાઈના કામગીરી દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું.
ગુજરાતમાં ભૂગર્ભ ગટર -ખાળકુવા સાફ કરતા ઉતરેલા સફાઈ કર્મચારીના ઝેરી ગેસ ગળતર, ગુંગળામણથી મૃત્યુની ગંભીર ઘટનાઓ સતત સામે આવી રહી છે. નામદાર હાઈકોર્ટમાં સોગંદનામું કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની વાતો કરતી ભાજપ સરકારના કેમ ગુન્હો દાખલમાં ઉદાસીનતા છે. આજ દર્શાવે છે સૂત્રોમાં અસંવેદનશીલ સરકાર ખરા અર્થમાં સંવેદનાવિહીન છે. છેલ્લા ૧૦ વર્ષમાં દેશમાં ૬૨૨ સફાઈકર્મીઓના મોત થયા છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૭૩ જેટલા સફાઈકર્મીઓના મોત સાથે ગુજરાતમાં સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે છે. વારંવાર શ્રમિકો-કામદારોના મોતની ઘટના બાદ કોંગ્રેસ પક્ષની માનવાધિકાર પંચમાં કરવા આવેલ રજૂઆત બાદ પણ રાષ્ટ્રીય માનવાધિકાર પંચ કેમ કોઈ પગલા ભરતું નથી? માનવ જીવન જેવા સંવેદનશીલ વિષયમાં માનવાધિકાર પંચમાં રાજ્યમાં સરકારના મુખ્ય સચિવશ્રીને જવાબ આપવા સુધી ઔપચારિકતા દાખવતા નથી આજ દર્શાવે છે કે ભાજપ શ્રમિકો-કામદારો મુદ્દે કેટલી સંવેદનશીલ છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગની જગ્યાએ વૈકલ્પિક રોજગારની તકો પૂરી પાડવી, નાણાકીય સહાય પૂરી પાડવી અને જનજાગૃતિ લાવવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. એક જ વર્ષ ૨૦૨૫માં મેન્યુઅલ સ્કેવેન્જિંગ અંગેની ‘નેશનલ કમીશન ફોર સફાઈ કમર્ચારી’ને દેશમાં ૮૪૨ અને ગુજરાતમાં ૨૮ જેટલી ફરિયાદો મળી છે. વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૮ માં સમગ્ર દેશમાં થયેલ સર્વે પ્રમાણે ૫૮૦૯૮ જેટલા પરિવાર આ અમાનવીય પ્રથા સાથે જોડાયેલ છે. જયારે ગુજરાતમાં ૧૦૫ પરિવાર આ અમાનવીય પ્રથા સાથે જોડાયેલ છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪-૨૫ સુધી એક પણ પરિવારજનોને મળવાપાત્ર વૈકલ્પીક રોજગારી માટે ‘સ્કીલ ડેવલોપમેન્ટ ટ્રેનીંગ’ ૪૦૦૦૦ રૂપિયા સબસીડીનો એક પણ રૂપિયો ભાજપ સરકારે આપ્યો નથી. ગુજરાતમાં ભરૂચમાં ગટર સાફ કરવા ઉતરેલા ત્રણ કામદારોના મોત, વલસાડના ઉમરગામમાં ખાળકૂવાની સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિ, રાજકોટમાં ભૂગર્ભ ગટરમાં સફાઈ કામ કરતા ગેસ ગળતરથી બે શ્રમિકના મોત થયા હતા. શું ભાજપ સરકાર ગરીબો-શ્રમિકોએ માનવી માનતી નથી?
અતિસંવેદનશીલ અને ચિંતાજનક રીતે ગુજરાતમાં સફાઈ કરવાના જોખમી પ્રથાને કારણે ગુજરાતના નાગરીકોએ પોતાનો જીવ ગુમાવવો પડી રહ્યો છે ત્યારે નામદાર કોર્ટનાં નિર્દેશ અનુસાર જવાબદાર લોકો સામે નગરપાલિકામાં ચીફ ઓફિસર, પંચાયતમાં સરપંચ- તલાટી અને મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર સામે પગલા ભરવામાં જોગવાઈ છે ત્યારે સુરતમાં ખાંડ બજાર રતી હાઉસનાં ETP પ્લાન્ટની ટાંકીની સફાઈ કરતા થયેલ મોત જવાબદાર લોકો સામે મેન્યુઅલ સ્કેવેન્જીંગ એક્ટ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર સામે ફોજદારી ગુન્હો દાખલ કરવાના આવે, સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ૩૦ લાખ જેટલું વળતર સત્વરે ચુકવવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

ક્રમ રાજ્ય સફાઈકર્મીના મોત
(૨૦૧૭-૨૦૨૫)
૧. ઉત્તરપ્રદેશ ૮૬
૨. મહારાષ્ટ્ર ૮૨
૩. તમિલનાડુ ૭૭
૪. હરિયાણા ૭૬
૫. ગુજરાત ૭૩

 

Related posts

ગુજરાતમાં ફૂટબૉલને પ્રોત્સાહનની જરૂર

viratgujarat

મૌન તોડો: યુવાન સ્ત્રીઓ માટે સર્વાઇકલ કેન્સર જાગૃતિ

viratgujarat

રાજકોટમાં ઇન્ડિયા ટી વોકેથોનને શાનદાર સફળતા

viratgujarat

Leave a Comment