Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ધૂળેટી પર્વ દરમિયાન અકસ્માતમાં મ્રુત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

અમદાવાદ, ગુજરાત | ૦૫ માર્ચ ૨૦૨૬ — એક તરફ રાજ્યના લોકો ઉલ્લાસભેર ધૂળેટીની ઉજવણી કરવામાં વ્યસ્ત હતા ત્યારે બીજી તરફ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં ૨૭ જેટલા લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર સુરત નજીક કીમ નદીમાં ત્રણ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા હતા ત્યારે બે બાળકોનાં અરવલ્લી જિલ્લામાં તળાવમાં ડૂબી જતાં અકાળે મૃત્યુ થયાં હતાં. રાજકોટ મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં ચાર લોકોના દુઃખદ અવસાન થયાં હતાં. ગોંડલ નજીક વૈષ્ણવ સાધુ સમાજ ના આશાસ્પદ યુવાન નું અકસ્માતમાં મ્રુત્યુ થયું હતું. એ સિવાય અનેક સ્થળોએ લોકોનાં ડૂબી જતાં મોત નિપજયા છે.

પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવશે અને આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ કુલ મળીને રુપિયા ૪ લાખ ઉપરાંત ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય બાપુએ વિવિધ સ્થળોએ જે કરુણ ઘટના બની તેમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

Related posts

મોરારી બાપુએ ચિત્રકૂટથી અયોધ્યા વાયા લંકા ઐતિહાસિક રામ યાત્રાનો શુભારંભ કર્યો

viratgujarat

શાઓમી ઇન્ડિયાએ ફાયર ટીવીની સાથે Xiaomi QLED FX Pro અને 4K FX સીરીઝ લોન્ચ કરી

viratgujarat

અમદાવાદમાં “નફરતેઈન”ના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો, જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા

viratgujarat

Leave a Comment