Virat Gujarat
CSR પ્રવૃત્તિઓ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેટ ઝીરો કેમ્પસ વિઝન તરફ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીની નવી પહેલ

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ પર્યાવરણ સંરક્ષણ, ટકાઉ વિકાસ અને ભવિષ્યના ક્લાઈમેટ એક્શનને પ્રોત્સાહન આપતી એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. યુનિવર્સિટીએ પર્યાવરણ અને ક્લાઈમેટ ટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત યુનાઇટેડ કાર્બન ટેક્નોલોજીઝ સાથે એમઓયુ કરીને AI આધારિત ESG (Environmental, Social & Governance) ફ્રેમવર્ક અમલમાં મૂક્યું છે.

આ પહેલ હેઠળ યુનિવર્સિટીના કાર્બન ફૂટપ્રિન્ટ, ઊર્જા વપરાશ, પાણી વ્યવસ્થાપન, કચરા સંચાલન, સંસાધન કાર્યક્ષમતા અને પર્યાવરણીય પ્રભાવનું AI આધારિત મૂલ્યાંકન કરવામાં આવશે. ESG એનાલિટિક્સ અને સસ્ટેનિબિલિટી ઇન્ટલિજન્સી સિસ્ટમ દ્વારા તૈયાર થતા અહેવાલોના આધારે યુનિવર્સિટી પર્યાવરણલક્ષી સુધારાઓ, ઊર્જા બચત અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે ડેટા આધારિત નિર્ણયો લેશે.

આ પહેલનો મુખ્ય હેતુ યુનિવર્સિટીના લાંબા ગાળાના નેટ ઝીરો કેમ્પસ વિઝનને મજબૂત બનાવવાનો છે. સાથે જ પર્યાવરણીય જવાબદારીને સંસ્થાકીય કાર્યપદ્ધતિનો અભિન્ન ભાગ બનાવી શિક્ષણ અને સસ્ટેનિબિલિટી વચ્ચે અસરકારક સંકલન સ્થાપિત કરવાનો છે.

આ સમગ્ર પહેલને આકાર આપવામાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના સ્વર્ણિમ ઇન્ક્યુબેશન સેન્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ઇન્ક્યુબેશન સેન્ટર સતત ઉદ્યોગો, ટેક્નોલોજી નિષ્ણાતો અને નવીન સંસ્થાઓને યુનિવર્સિટી સાથે જોડીને સમાજલક્ષી અને ભવિષ્યલક્ષી પહેલને પ્રોત્સાહન આપી રહ્યું છે. આ સહયોગ પણ તે જ દૃષ્ટિકોણનું પરિણામ છે.

આ પહેલથી વિદ્યાર્થીઓ, સંશોધકો અને ફેકલ્ટી સભ્યોને ક્લાઇમેટ-ટેક, ESG એનાલિટિક્સ, ગ્રીન ઇનોવેશન, કાર્બન મેનેજમેન્ટ અને સસ્ટેનિબિલિટી ડેવલોપમેન્ટ જેવા વૈશ્વિક મહત્વના ક્ષેત્રોમાં પ્રાયોગિક અનુભવ અને સંશોધનની નવી તકો પ્રાપ્ત થશે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રી-એકેડેમિયા સહયોગ, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને પર્યાવરણ આધારિત સંશોધન પ્રવૃત્તિઓને પણ નવી ગતિ મળશે.

સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીનું માનવું છે કે યુનિવર્સિટી માત્ર જ્ઞાન આપતી સંસ્થા નહીં, પરંતુ સમાજ અને પર્યાવરણ માટે ઉકેલ સર્જતા ઇનોવેશન કેન્દ્ર બનશે. વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે શરૂ કરાયેલી આ પહેલ શિક્ષણ, ટેક્નોલોજી અને પર્યાવરણીય જવાબદારીના સમન્વય દ્વારા ભવિષ્યના ગ્રીન અને સ્માર્ટ કેમ્પસના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે.

Related posts

અદાણી યુનિવર્સિટીમાં MBA ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટની નવી બેચનો પ્રારંભ: ૧૨૦ વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત

viratgujarat

“સેવામાં માનવતા અને વાણીમાં મીઠાસ”ના બોધ સાથે દર્દીઓની કરુણાપૂર્ણ સારવાર માટે સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારની ‘આત્મબોધ ચિંતન શિબિર’

viratgujarat

અમદાવાદમાં ગ્રીન કવર વધારવા સ્તુત્ય પ્રયાસ

viratgujarat

Leave a Comment