અમદાવાદ, ગુજરાત | ૧૫મી ઓગસ્ટ ૨૦૨૬ | 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના પર્વે રવિવારે સવારે હજારો અમદાવાદીઓ, મોટી સંખ્યામાં યુવા નાગરિકો અને ઝેન જી એ ઉત્સાહભેર ભાગ લીધો હતો, 16 ઓગસ્ટે યોજાયેલ આ તિરંગા યાત્રા નિકોલના અર્બુદાનગરથી ખોડિયાર માતા મંદિર સુધીના માર્ગોથી નીકળતાં સમગ્ર રોડ તીરંગાના રંગમાં રંગાઈ ગયો હતો.
‘આજનું યુવા, આવતીકાલનું રાષ્ટ્ર’ની થીમ પર આયોજિત આ યાત્રામાં યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રા દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને ઉજાગર કરે છે. ” વી લવ મોદી” ના નારા સાથે આ યાત્રા ની શરૂઆત થઈ હતી.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ પણ રાજકીય નેતાઓ અને અન્ય અગ્રણી મહાનુભાવો સાથે હાજર રહ્યા હતા. તેઓ યાત્રામાં ભાગ લેનારાઓ સાથે જોડાયા અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો દ્વારા વધુ સામૂહિક કાર્યવાહી કરવાની હાકલ કરી હતી.
‘યુવા આજે, રાષ્ટ્ર આવતીકાલે’ની થીમ પર આયોજિત તિરંગા યાત્રામાં ઝેન જી યુવાનોની ભાગીદારી મુખ્ય આકર્ષણ રહી હતી. આયોજકોએ દેશના ભવિષ્યના ઘડતરમાં યુવા ભારતીયોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. ‘અમે શિસ્તબદ્ધ ઝેન જી છીએ’, ‘અમે રાષ્ટ્રપ્રેમી ઝેન જી છીએ’ અને ‘અમે સુસંસ્કારી ઝેન જી છીએ’ જેવા સંદેશો દ્વારા યુવાનોને દેશની સંસ્કૃતિ અને પરંપરાનું સન્માન જાળવીને રાષ્ટ્રગૌરવ સાથે શિસ્ત અને જવાબદારીની ભાવના કેળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
તિરંગા યાત્રાના આયોજક વિષ્ણુ દેસાઈ, સોશિયલ વર્કર એ જણાવ્યું હતું કે, “યુવાનો માત્ર આવતીકાલના નાગરિકો જ નથી, પરંતુ આજની રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો પણ મહત્વપૂર્ણ હિસ્સો છે. મોટી સંખ્યામાં યુવાનોની ભાગીદારી દર્શાવે છે કે ઝેન જી દેશની પ્રગતિ માટે પ્રતિબદ્ધ છે અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આશરે 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી વયની હોવાથી દેશમાં વિશ્વની સૌથી મોટી યુવા વસ્તીઓમાંની એક છે. 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની યાત્રામાં યુવા નાગરિકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
તિરંગા યાત્રા દરમિયાન ‘વિવિધતામાં એકતા’નો સંદેશ પણ પ્રબળ રીતે આપવામાં આવ્યો હતો. નાગરિકોને સાથે ચાલવા, એકસાથે ઊભા રહેવા અને વધુ સશક્ત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા અપીલ કરવામાં આવી હતી. દેશે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કર્યાના બીજા જ દિવસે યોજાયેલી આ યાત્રામાં યુવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દેશભક્તિ, એકતા તથા રાષ્ટ્રગૌરવની ભાવનાની ઉજવણી કરી હતી.
આ પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈ સહિત રાજકીય આગેવાનો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યાત્રામાં સહભાગીઓ સાથે જોડાઈને રાષ્ટ્રનિર્માણમાં યુવાનોની વધુ સક્રિય અને સામૂહિક ભાગીદારી માટે આહ્વાન કર્યું હતું.
== સમાપ્ત ==
