ફ્લેગશિપ નેટવર્કિંગ ઈવેન્ટ 8–9 મેના રોજ GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
અમદાવાદ, ગુજરાત | ૦૬ મે ૨૦૨૬ | BNI અમદાવાદે તેની ફ્લેગશિપ એન્યુઅલ ઇવેન્ટ, BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 ની આગામી એડિશનની જાહેરાત કરી છે, જે 8 અને 9 મેના રોજ અમદાવાદના GMDC કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.
‘Upward, Forward and Beyond’ થીમ પર આધારિત આ બે દિવસીય સિમ્પોઝિયમમાં 50થી વધુ ઇન્ડસ્ટ્રીઝના 10,000થી વધુ બિઝનેસ લીડર્સ અને ઉદ્યોગસાહસિકો જોડાવાની અપેક્ષા છે, જે તેને રિજનના સૌથી મોટા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મમાંનું એક બનાવશે.
અર્થપૂર્ણ કનેક્શન અને વાસ્તવિક બિઝનેસ પરિણામોને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ આ સિમ્પોઝિયમમાં ઇન્ડસ્ટ્રી પાવર ડેટ્સ અને પૂર્વનિર્ધારિત વન-ટુ-વન મીટિંગ્સ જેવા સંરચિત નેટવર્કિંગ ફોર્મેટ્સ રહેશે, જે સહભાગીઓને ફોકસ્ડ અને હાઈ વેલ્યુ ચર્ચાઓમાં જોડાવા સક્ષમ બનાવશે. આ ઈવેન્ટમાં વિશ્વનું પ્રથમ AI આધારિત નેટવર્કિંગ પણ રજૂ કરવામાં આવશે, જેમાં AI નો ઉપયોગ એવી એક બાબત માટે કરવામાં આવશે જેને તે ક્યારેય બદલી શકતું નથી — એટલે કે સંબંધો બનાવવું.
આ ઈવેન્ટમાં ક્યુરેટેડ નેટવર્કિંગ તકો, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શિત સ્પીકર સેશન અને લાર્જ-સ્કેલ બિઝનેસ એક્સિબિશનનો પણ સમાવેશ થશે, જેમાં સિસિલિયન એક્સ્પો હેઠળ 150થી વધુ સ્ટોલ્સ સામેલ રહેશે.
BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “સિમ્પોઝિયમ 2026 એ એવી જગ્યા છે જ્યાં મહત્વાકાંક્ષા મોટા પાયે તકોને મળે છે. કલ્પના કરો કે એક રૂમમાં 10,000+ બિઝનેસ લીડર્સ છે, ફક્ત કાર્ડની આપ-લે જ નહીં પરંતુ વાસ્તવિક સંબંધો બનાવી રહ્યા છે જે વૃદ્ધિને વેગ આપે છે. આ વર્ષે, અમે નેટવર્કિંગને સંખ્યાઓથી આગળ લઈ જઈ રહ્યા છીએ જેથી એક એવી ઇકોસિસ્ટમ બનાવી શકાય જ્યાં યોગ્ય ચર્ચાઓ વધુ ઝડપથી થાય અને સહયોગ તરત જ આકાર લઈ શકે. અમે ખરેખર ‘Upward, Forward and Beyond’ તરફ આગળ વધી રહ્યા છીએ.”
સિમ્પોઝિયમમાં ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ દ્વારા વિવિધ સ્પીકર સેશન અને માસ્ટરક્લાસનું આયોજન પણ કરવામાં આવશે. કીનોટ એડ્રેસ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, બિઝનેસ એજ્યુકેટર અને બેસ્ટસેલિંગ લેખક સીએ સાર્થક અહૂજા દ્વારા આપવામાં આવશે. તેમજ પૂર્વ આઈપીએસ અધિકારી અજય તોમર દ્વારા ‘’મોર્ડન મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ ધ ભગવદ ગીતા’ વિષય પર ખાસ વક્તવ્ય આપવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની પણ હાજર રહેશે.
એ. શ્રીધર ગ્રુપના શર્વિલ શ્રીધર અને પીએસપી પ્રોજેક્ટ્સના હિરેન પટેલની ભાગીદારી સાથે યોજાનારી પેનલ ચર્ચા, જેને સિનિયર એડિટર અજય ઉમત દ્વારા સંચાલિત કરવામાં આવશે, સિમ્પોઝિયમનું એક વધુ મુખ્ય આકર્ષણ રહેશે.
આ ઉપરાંત, આ એક્સ્પો 9 મે ના રોજ બધા માટે ખુલ્લો રહેશે, જેનાથી અમદાવાદના લોકોને એક્સ્પોનો અનુભવ કરવાની અને BNI શું છે તે જોવાની તક મળશે.
4,000થી વધુ સભ્યોના મજબૂત નેટવર્ક સાથે, BNI અમદાવાદ સ્ટ્રક્ચર્ડ રેફરલ્સ અને રિલેશનશિપ આધારિત નેટવર્કિંગ દ્વારા વ્યવસાયિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ સિમ્પોઝિયમ સહયોગ, શિક્ષણ અને વિકાસ માટે શક્તિશાળી પ્લેટફોર્મ ઉભું કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.
BNI અમદાવાદ સિમ્પોઝિયમ 2026 એ. શ્રીધર દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને શ્યામ ગ્રુપ દ્વારા પાવર્ડ છે.
