ભારતની અગ્રણી હિન્દી મૂવી ચેનલ સોની મેક્સ ગર્વથી લાલો – કૃષ્ણ સદા સહાયતેના ટેલિવિઝન પ્રીમિયરની જાહેરાત કરે છે. વિશ્વભરમાં ₹100 કરોડથી વધુની કમાણી સાથે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ્સ તોડ્યા બાદ, વિવેચકોની પ્રશંસા મેળવીને અને એક સાંસ્કૃતિક સીમાચિહ્ન બન્યા પછી, ગુજરાતની આ સૌથી સફળ બ્લોકબસ્ટર ફિલ્મ હવે 17 મેના રોજ બપોરે 1 વાગ્યે સોની મેક્સ પર સમગ્ર ભારતના ટેલિવિઝન પ્રેક્ષકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે.
લાલો એક અભૂતપૂર્વ સિનેમેટિક સફળતા તરીકે ઉભરી આવી છે — જેમાં સચોટ વાર્તા, કલાકારોનો શાનદાર અભિનય અને ઊંડી સાંસ્કૃતિક ઓળખનો સમન્વય જોવા મળે છે. તેની થિયેટર સફરે માત્ર પ્રભાવશાળી કમાણી જ નથી કરી, પરંતુ વિવિધ સમુદાયોમાં ચર્ચાઓ જગાવીને તાજેતરના સમયની સૌથી પ્રખ્યાત ગુજરાતી ફિલ્મોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ફિલ્મની ભક્તિમય થીમ અને ભાવનાત્મક કથાએ દર્શકોના દિલ જીતી લીધા છે, જેના પરિણામે તે વિવેચકોની પસંદગીની સાથે એક મેગા હિટ ફિલ્મ સાબિત થઈ છે.
લાલો હવે ટેલિવિઝન માધ્યમ દ્વારા તેના સ્કેલના આગામી તબક્કામાં પ્રવેશ કરી રહી છે, જે પ્રાદેશિક બજારોથી આગળ વધીને હિન્દીભાષી પ્રેક્ષકો સુધી તેની પહોંચનો વિસ્તાર કરશે.
ભૂતકાળમાં કાંતારા અને મહાવતાર નરસિમ્હા જેવી સુપરહિટ દૈવી બ્લોકબસ્ટર ફિલ્મો પ્રેક્ષકો સમક્ષ રજૂ કર્યા પછી, સોની મેક્સ હવે શ્રદ્ધાની એક અત્યંત હૃદયસ્પર્શી અને ભાવુક કરી દે તેવી વાર્તા લાલો લાવી રહ્યું છે. તેની સ્થાનિક ફોરમને જીવંત રાખવા અને ગુજરાતી અસ્મિતાની ઉજવણી કરવા માટે, આ ફિલ્મ હિન્દીની સાથે સાથે ગુજરાતી ભાષામાં પણ ઉપલબ્ધ રહેશે, જે દર્શકોને આ વાર્તા તેના સૌથી અધિકૃત અને હૃદયસ્પર્શી સ્વરૂપમાં માણવાની તક આપશે.
આ ફિલ્મની વાર્તા લાલજી ધનસુખ પરમાર વિશે છે, જે એક સાધારણ રિક્ષાચાલક છે અને એક ફાર્મહાઉસમાં ફસાઈ જાય છે. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણના માર્ગદર્શન હેઠળ તે પોતાના ભૂતકાળના ડર અને દુઃખોનો સામનો કરે છે. આત્મ-ખોજ અને દુઃખમાંથી બહાર આવવાની તેની આ પરિવર્તનકારી સફરે લાખો લોકોને પ્રેરણા આપી છે અને હવે તે ટેલિવિઝન દ્વારા વધુ વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે તૈયાર છે.
કરણ જોષી લાલજીની ભૂમિકામાં, રીવા રાચ્છ, શ્રુહદ ગોસ્વામી ભગવાન કૃષ્ણની ભૂમિકામાં અને મિશ્તી કાડેચા દ્વારા અભિનીત આ ફિલ્મનું દિગ્દર્શન અંકિત સખિયાએ કર્યું છે. આ કલાકારો સાથે મળીને ભક્તિ, ડ્રામા અને મુક્તિનું સુંદર મિશ્રણ ધરાવતી એક હૃદયસ્પર્શી વાર્તા રજૂ કરે છે.
સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના મૂવીઝ ક્લસ્ટરના ચીફ કન્ટેન્ટ ઓફિસર અજય ભાલવંકરે જણાવ્યું હતું કે: “લાલો એ માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એક સાંસ્કૃતિક સીમાચિહ્ન છે જેણે ગુજરાતી સિનેમાના વ્યાપને ફરીથી વ્યાખ્યાયિત કર્યો છે. સોની મેક્સ પર અમારું વિઝન એવી અદ્ભૂત વાર્તાઓ લાવવાનું છે જે દરેક ક્ષેત્ર અને વર્ગના લોકો સાથે જોડાય અને લાલો તે વચનને પૂર્ણપણે સાકાર કરે છે. બોક્સ ઓફિસ પર તેની અભૂતપૂર્વ સફળતા અને વિવેચકોની પ્રશંસા સત્યનિષ્ઠ વાર્તાની શક્તિને રેખાંકિત કરે છે અને અમને ગર્વ છે કે અમે આ પ્રીમિયર દ્વારા તેને રાષ્ટ્રીય પ્રેક્ષકો સુધી પહોંચાડી રહ્યા છીએ. સોની મેક્સને ‘હૃદયસ્પર્શી બ્લોકબસ્ટર ફિલ્મો માટે પ્રિય સ્થળ’ બનાવવાની દિશામાં આ બીજું એક મહત્વપૂર્ણ પગલું છે.”
શ્રુહદ ગોસ્વામી – લાલોમાં ભગવાન કૃષ્ણ: “લાલોમાં કૃષ્ણની ભૂમિકા ભજવવી એ શાશ્વત ભક્તિ અને માનવીય દ્રઢતાથી ભરેલી સફર હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મની અસાધારણ સફળતાએ અમને બતાવ્યું કે પ્રેક્ષકો ફિલ્મની ભાવના સાથે કેટલા ઊંડાણપૂર્વક જોડાયેલા છે. હવે, જ્યારે સોની મેક્સ લાલોને સમગ્ર ભારતમાં ઘર-ઘર સુધી પહોંચાડી રહ્યું છે, ત્યારે લાગે છે કે કૃષ્ણનો માર્ગદર્શન અને આશાનો સંદેશ હવે વધુ લોકો સુધી પહોંચશે. થિયેટરથી લઈને ટેલિવિઝન સુધી, આ વાર્તા તેની દૈવી યાત્રા ચાલુ રાખશે.”
તમારા કૅલેન્ડર્સને માર્ક કરો – 17 મે, બપોરે 1 વાગ્યે સોની મેક્સ પર
