Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભાવનગર અને અમરેલી જિલ્લામાં અકાળે અવસાન પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

તલગાજરડા | ૦૧ નવેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ભાવનગર અને અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતમાં અનેક લોકોના મોત નિપજયા છે. ભાવનગર જીલ્લાના ઉમરાળા નજીક ચભાડીયા ગામનાં બે યુવકોનું અકસમાતમા મોત થયું છે. તે ઉપરાંત વેરાવળ-ભાવનગર રુટની એસ ટી બસ દ્વારા મહુવાનાં અગતરિયા ગામ પાસે રીક્ષાને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. 
રાજુલા તાલુકાના બરબટાણા ગામના ચાર આશાસ્પદ યુવાનોનું ડૂબી જતાં મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. 

Related posts

પ્રાઇમ ડેઃ 12 થી 14 જુલાઈ લાઇવ થઇ રહેલા એમેઝોન બિઝનેસ સાથે બિઝનેસ કસ્ટમર્સ માટે મહાબચત તેમજ આકર્ષક ડીલ્સ અને ગ્રેટ ઓફર્સનો લાભ ઉઠાવવાની સોનેરી તક

viratgujarat

તમારા તહેવારોના ખર્ચને સુરક્ષિત કરો: કૌભાંડોને શોધો અને રોકો

viratgujarat

ડીએફસીસીઆઈએલ (રેલ્વેનું)એ અત્યાધુનિક ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર અને ન્યૂ સાણંદ કનેક્ટિવિટીનું પ્રદર્શન કર્યું

viratgujarat

Leave a Comment