Virat Gujarat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ઉતરકાશી નજીક ભૂસ્ખલનમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

ગુજરાત, અમદાવાદ | ૦૮ ઓગસ્ટ ૨૦૨૫: થોડા દિવસોથી સમગ્ર ઉત્તરાખંડમાં તેમજ બિહાર,ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશના રાજ્યોમાંઅનુરાધાર વર્ષા થઇ રહી છે જે અતિવૃષ્ટિની સ્થિતિ પેદા કરે છે જેને પરિણામે જાનમાલની બહુ મોટી ખુવારી થવા પામી છે. ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા કેટલી ઝડપથી આખું ગામ તબાહ થઈ ગયું હતું તેનો તાદૃશ અહેવાલ જોવા મળ્યો હતો.

થોડા દિવસ પહેલાં ઉતરકાશી જીલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ૫ થી વધુ લોકોના મોત નિપજયા હતા અને ગામની આસપાસ વ્યાપક રીતે તારાજી સર્જાઈ હતી જેનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. પૂજ્ય મોરારીબાપુએ આ કરુણ બનાવમાંહનુમંત સંવેદના રુપે મુખ્યમંત્રી રાહત ફંડ માં રુપિયા ૧,૧૧,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ રાશિ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવશે.

Related posts

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિષેક શાહની ફિલ્મ ‘ધબકારો’થી બોલિવૂડના જાણીતા બેનર ‘નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ’નું ગુજરાતી સિનેમામાં પદાર્પણ

viratgujarat

ડીએફસીસીઆઈએલ (રેલ્વેનું)એ અત્યાધુનિક ઓપરેશન્સ કમાન્ડ સેન્ટર અને ન્યૂ સાણંદ કનેક્ટિવિટીનું પ્રદર્શન કર્યું

viratgujarat

હેવમોરે વર્લ્ડ આઇસક્રીમ ડે ઉપર સ્વિટ સરપ્રાઇઝ સાથે ‘ધ હેપ્પીએસ્ટ સંડે’ની ઉજવણી કરી

viratgujarat

Leave a Comment