Virat Gujarat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસ

શ્રી સંકટ મોચન મહાવીર હનુમાન મંદિર,રાંચરડા, અમદાવાદ

શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા *હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)*ની ભવ્ય ઉજવણી *2 એપ્રિલ, 2026,ગુરુવારના રોજ કરવામાં આવશે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે **20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિ*ની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.

સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે *સમગ્ર દિવસ ભંડારો* યોજાશે.

*મંદિરનું વિશેષ વર્ણન:*

આ મંદિરનું *23 ઓગસ્ટ, 2024ના રોજ **લોકાર્પણ* કરવામાં આવ્યું હતું. અહીં *હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે **હનુમાનજીની દુર્લભ મૂર્તિ* છે, જે *ભારતનું ચોથું મંદિર* છે જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં *પાતાળલોક* સાથે *રાવણનો ભાઈ અહિરાવણ* તેમના પગ નીચે દબાયેલો, *રામ-લક્ષ્મણ* અને *પુત્ર મકરધ્વજ* સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ *2000 કિલો* વજનની મૂર્તિ *દુર્લભ રાજસ્થાની પથ્થર*થી નિર્મિત છે.

મંદિરના સ્થાપક *ડૉ. પ્રવીણભાઈ ગર્ગ*એ જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપા નો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે.

બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને *દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં **3 રામ રોટી સેવા રથ* ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ *500 જરૂરિયાતમાંદો લોકોને* સેવા પૂરી પાડે છે.

આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.

– દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.

– દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું.

– હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.

મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.

*જય બાબા નીબ કરોરી મહારાજ! જય શ્રી રામ! જય હનુમાન!*

*મંદિર સમિતિ*

Related posts

હીરાના વેપારી અને રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ વડાપ્રધાન મોદીને ‘ નવા ભારત ‘ ના સ્વપ્નનું પ્રતીક “નવભારત રત્ન” અર્પણ કર્યો

viratgujarat

શું વારંવાર યુટીઆઇ મૂત્રાશય કેન્સરનો સંકેત છે?

viratgujarat

અમદાવાદ ડિઝાઇન વીક 7.0નો શુભારંભ: ગ્લોબલ લીડર્સએ એથિકલ AI અને માનવ-કેન્દ્રિત ડિઝાઇન માટે આહ્વાન કર્યું

viratgujarat

Leave a Comment